Saturday, 1 December 2018

સમય નો સદુપયોગ

🔥સ્પિરિચ્યુઅલ ઇગ્નાઇટ બાઇબલ મનન🔥

વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કાર,માઠા દિવસો આવ્યા પહેલા;વળી જે વર્ષો વિશે તું એમ કહેશે કે,તેમાં મને કઇ સુખ નથી તે નજીક આવ્યા પહેલા ,તેનું સ્મરણ કર...સભાશિક્ષક ૧૨:૧

તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.
એફેસીઓને પત્ર ૫:૧૫-૧૭

       વ્હાલા ઇગ્નાઇટ મિત્રો,ખ્રિસ્ત ઇસુમાં પ્રેમી સલામ
દાઉદ ભક્ત કહે છે કે,તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય. ગીતશાસ્ત્ર 90:12
        જીવન ને કેવી રીતે ગણી શકાય? એનો મતલબ એમ કે આપણા જીવનની એક એક પળ ને ,હર સમયને સાચવીને વાપરવું,
        ઈશ્વરના ઠરાવેલા આયુષ્ય મુજબ, અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.ગીતશાસ્ત્ર ૯૦:૧૦
        આપણું પૃથ્વી પરનું જીવન ખૂબ મર્યાદિત છે,જો કોઈની ઉમર હાલ ૩૦ વર્ષ હોય ,તો બાઇબલ મુજબ ૭૦ વર્ષનું તેનું આયુષ્ય હોય તો તેની પાસે બચેલા વર્ષો ૪૦ જેટલા હોય,
        એક વર્ષના ૩૬૫ દિવસો એમ જો ૪૦ વર્ષ ગણીએ તો ૧૪૬૦૦ જેટલા તેના જીવનનાં બાકી રહેલા દિવસો હોય,
       હવે ૧૪૬૦૦ દિવસના કલાકો
        ૧૪૬૦૦ દિવસ *૨૪ કલાક =૩૫૦૪૦૦ કલાકો,
         હવે એક દિવસનો હિસાબ કરીયે તો,
              ૨૪ કલાકમાંથી ૮ કલાક ઊંઘવામાં,
   બચેલા ૧૬ કલાકમાંથી ૯ કલાક નોકરી/અભ્યાસમાં,
   બચ્યા  ૧૬-૯ એટલે ૭ કલાક જેમાંથી ૨ કલાક દૈનિક ક્રિયાઓ કરવા (નાહવા-ધોવા-જમવા) વગેરે માં થાય એટલે ૫ જેટલા કલાક રોજનાં બાકી રહે
            ૧૪૬૦૦ દિવસો *૫ કલાકો = ૭૩૦૦૦ કલાકો
            ૨૪ કલાક નો ૧ દિવસ તો ૭૩૦૦૦ કલાકના કેટલા દિવસો ?  એમ ૩૦૪૨ દિવસો ફાજલ થાય એને વર્ષ માં ફેરવીએ તો ફક્ત  ૮.૩૩ વર્ષ થાય એમ આપણને ૪૦ વર્ષ માંથી ૮.૩૩ વર્ષ ફાજલ મળે જેમાં આપણે કોઇ પણ પ્રવૃત્તિ કરી શકીયે....

વિચારવા જેવી બાબત છે કે ,નોકરી/અભ્યાસ/ધંધો કરનારને ૪૦ વર્ષ માંથી ૮.૩૩ વર્ષ જ ફાજલ સમય મળતો હોય તો ,તે વ્યક્તિ એ દેવને આપવા માટેનો સમય કેટલો?

મિત્રો ,જો તમને સમય મળે છે તો દરેક વ્યક્તિ દેવની ઉપસ્થતી માં રહો,કેમકે નોકરી /અભ્યાસ/ધંધો કરનાર ને તો બહુજ ઓછો સમય મળે છે તેથી જ દેવનું વચન એવુ કહે છે કે ,સમય નો સદુપયોગ કરો કેમકે દહાડા ભૂંડા છે.
           

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...