Thursday, 3 February 2022

*વચન નો કૂવો ગાળી કાઢીએ*

*વચન નો કૂવો ગાળી કાઢીએ*
અને તેના પિતા ઇબ્રાહિમના વખતમાં તેઓએ પાણીના જે કૂવા ખોદ્યા હતા, તે *ઇસહાકે ગાળી કાઢયા*, કેમ કે ઇબ્રાહિમના મરણ પછી પલિસ્તીઓએ તે પૂરી નાખ્યા હતા. અને તેમનાં જે જે નામ તેના પિતાએ પાડયાં હતાં, તે જ નામ તેણે તેઓનાં પાડયાં.
ઉત્પત્તિ 26:18 

      પાણી એ જીવન છે,અને એ કુવામાંથી અને ઝરાઓ માંથી પ્રાપ્ત થાય છે.ખ્રિસ્ત ઈસુ પોતે જીવતું પાણી છે,અને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાથી અનંત જીવન મળે છે,તેના જીવન માંથી જીવતા પાણી ની નદી વહે છે.
       ઇબ્રાહિમે પોતાનાં વખત માં અલગ અલગ પ્રકારનાં કૂવાઓ ખોદયા હતા,
       જેને આપણે અલગ અલગ રૂપક આપી શકીએ

*વચન રૂપી કૂવો*
   દેવનું પવિત્ર વચન એક આત્મિક કુવા સમાન છે,પવિત્ર બાઈબલ એ દેવનું હૃદય છે,જે દેવનાં વિચારો પ્રગટ કરે છે.પવિત્ર બાઈબલના કૂવા માંથી આપણાં પૃથ્વી પરના જીવનને માટે ભરપૂર ખજાનો છે.
      જીવનનો એવો કોઈ પ્રશ્ન નથી જેનો જવાબ બાઈબલ માં નથી
     ગીતશાસ્ત્ર ૧૧૯ એ દેવનાં નિયમ નું મહત્વ સમજાવે છે.
    આ વચનના કુવા માંથી શું શું મળે છે?

-નિયમશસ્ત્ર ની અદભુત વાતો
- હર્દય ને પ્રફુલ્લિત કરે છે -;ગી. શા ૧૧૯:૩૨
- માર્ગમાં અજવાળું - ગી.શા. ૧૧૯:૧૦૩
- શાંતિ મળે છે ગી.શા ૧૧૯:૧૬૫.
- જીવનક્રમ શુદ્ધ થાય છે ગી. શા ૧૧૯:૯
- વચન દ્વારા ખ્રિસ્ત આપણાં માં રહે છે
યોહાન ૧૫:૭

જીવિત પરમેશ્વર ના જીવંત વચનો પર પ્રેમ રાખીએ
દરરોજ તેને વાંચીએ,મનન કરીયે
વચનો નો અભ્યાસ કરીયે
આ વચન નો કૂવો જો આપણાં રોજીંદા જીવનમાં પુરાઈ ગયો હોય તો આજે જ ઇસહાક ની માફક ફરી ગાળી કાઢીએ..
રોજનાં વાંચન નું શિડયુલ બનાવીએ
પદ્ધતિસર નો બાઈબલ અભ્યાસ આજે જ શરૂ કરીએ


Wednesday, 2 February 2022

*આત્મિક સંગતિનો કૂવો ગાળી કાઢીએ*

*આત્મિક સંગતિનો કૂવો ગાળી કાઢીએ*
અને તેના પિતા ઇબ્રાહિમના વખતમાં તેઓએ પાણીના જે કૂવા ખોદ્યા હતા, તે ઇસહાકે ગાળી કાઢયા, કેમ કે ઇબ્રાહિમના મરણ પછી પલિસ્તીઓએ તે પૂરી નાખ્યા હતા. અને તેમનાં જે જે નામ તેના પિતાએ પાડયાં હતાં, તે જ નામ તેણે તેઓનાં પાડયાં.
ઉત્પત્તિ 26:18 

      પાણી એ જીવન છે,અને એ કુવામાંથી અને ઝરાઓ માંથી પ્રાપ્ત થાય છે.ખ્રિસ્ત ઈસુ પોતે જીવતું પાણી છે,અને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાથી અનંત જીવન મળે છે,તેના જીવન માંથી જીવતા પાણી ની નદી વહે છે.
       ઇબ્રાહિમે પોતાનાં વખત માં અલગ અલગ પ્રકારનાં કૂવાઓ ખોદયા હતા,
       જેને આપણે અલગ અલગ રૂપક આપી શકીએ
  *આત્મિક સંગતિ નો કૂવો :* આ કૂવામાંથી આપણે એક આત્મિક સંગત ,આત્મિક હૂંફ,આત્મિક ઉત્તેજન મેળવી શકીએ છીએ,પરંતુ શત્રુ શૈતાન આ આત્મિક સંગતને તોડવા ને માટે એક બીજા માટે નકારાત્મક પૂર્વગ્રહ,એક બીજા પ્રત્યે અસંતોષ,સંગતિમાં કુસંપ,પક્ષાપક્ષી,અસમજણ,કામનો બોજો ,પારિવારિક જવાબદારીઓ ,સેવકાર્યની જવાબદારીઓ વગેરે દ્વારા પલિસ્તીઓની માફક આત્મિક સંગતિ બંધ કરવામાં સફળ થાય છે
      પરંતુ લોક ડાઉન નાં સમયમાં જો પાલિસ્તીઓ એ આ આત્મિક સંગતિ નો કૂવો પુરી દીધો હોય તો આજે જ ઇસહાકની માફક આ કુવાને ગાળી કાઢીએ.
      *જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.*
હિબ્રૂઓને પત્ર 10:25

  *વ્યક્તિ ગત સંગતિ નો કૂવો*
 * સ્તુતિ આરાધના નો કૂવો*
 * પ્રાર્થના નો કૂવો*
  *વચન નો કૂવો *

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...