Tuesday, 3 August 2021

બે આત્મિક પ્રભાવશાળી શસ્ત્રો - દેવની ઉત્તમ સ્તુતિ - બેધારી તલવાર

બે આત્મિક પ્રભાવશાળી શસ્ત્રો - દેવની ઉત્તમ સ્તુતિ - બેધારી તલવાર

તેઓના ગળામાંથી ઈશ્વરની ઉત્તમ સ્‍તુતિ ગવાઓ, અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો; કે
ગીતશાસ્‍ત્ર 149:6

શાસ્ત્ર વાંચન :- ગીતશાસ્ત્ર ૧૪૯:૫-૯
          સંતો એટલે જગત થી અલગ થઈ ગયેલા લોકો,જેઓ પોતાને દેવને માટે જુદા કરે છે.
         *ગળામાંથી  દેવની ઉત્તમ સ્તુતિ :- સ્તુતિ એ આત્મિક યુદ્ધનું મોટું શસ્ત્ર છે,*
    -સ્તુતિ દ્વારા યહોશાફાટ રાજા અને પ્રજા એ યુદ્ધ જીત્યું,
    - સ્તુતિ દ્વારા યરીખો નો કોટ તોડી પાડવા માં આવ્યો.
    - દાઉદ સ્તુતિ નાં ૧૫૦ ગીતો લખે છે.આ દેવની સ્તુતિ છે.
    - સ્તુતિ દ્વારા શૈતાન નું રાજ્ય હાલી જાય છે.
    - સ્તુતિ દ્વારા દેવ આપણાં માટે યુદ્ધ લડે છે.
    - સ્તુતિ દ્વારા શત્રુ માર ખાય છે અને હારી જાય છે.
    - સ્તુતિ એ આત્મિક યુદ્ધ નું ખૂબ મોટું શસ્ત્ર છે.
          
*હાથમાં બેધારી તલવાર :-*
        કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે.
હિબ. 4:12 
      - દેવનું વચન જે આત્મિક તલવાર  છે,દરેક આત્મિક વ્યક્તિ નાં હાથ માં આ તલવાર હોવી જરૂરી છે.
  - વચન નું સામર્થ્ય ખૂબ જ વધારે છે,કેમકે તે દેવનો શબ્દ છે.
  - એ જ શબ્દ દ્વારા પ્રભુ એ સૃષ્ટિ ની રચના કરી છે.
  - એ શરીર આત્મા અને પ્રાણ ને વિંધનારું પ્રબળ છે.

જ્યારે પ્રભુનાં સંતો એટલે પસંદ કરેલા લોકો નાં હાથ માં આ બે શસ્ત્ર હોય છે ત્યારે જગત ની અંદર આત્મિક સ્થાનો માં જે  શૈતાન નાં દુતો (રાજાઓ) અને હાકેમો (અધિકારીઓ) એફેસીઓ ને પત્ર ૬:૧૨ છે તેઓને આત્મિક સાંકળો થી અને આત્મિક લોઢાની બેડીઓ (જે ખુબજ મજબૂત) હોય છે તેઓ થી બાંધી ને શૈતાન નાં કાર્યો ને અટકાવી શકાય છે.

લાગુકરણ :
     દરેક ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો પાસે આ બે આત્મિક હથિયાર હોવા જરૂરી છે.એક દેવની ઉત્તમ સ્તુતિ,અને બેધારી તલવાર એટલે દેવનું વચન.

મિત્રો ને શેર કરો અને આશિષ મેળવો.


No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...