Tuesday, 17 August 2021

સત્ય તમને મુક્ત કરશે

સત્ય તમને મુક્ત કરશે

 તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.
યોહ. 8:44 

    જૂઠ એ સત્ય ને દાબી નાખે છે ,
    જૂઠ એક પડદા સમાન છે જે સત્યને ઢાંકી રાખે છે.

      જૂઠું બોલવું એ માણસ માટે સહજ વાત થઈ ગઈ છે
આપણે હાલતા ચાલતા જૂઠું બોલતા હોય છે.જૂઠું બોલવાની બાબત ને આપને સહજ રીતે લઈએ છીએ.અને આપણ તેને નાનું પાપ ગણીએ છીએ.પણ ઈશ્વર ની આગળ નાનું પાપ અને મોટું પાપ એવો કોઈ માપ દંડ નથી. ઈશ્વર દરેક પાપ ને પાપ જ ગણે છે. એ નાનું હોય કે મોટું .
          માત્થી ૨૮:૧૧-૧૫ માં ખ્રિસ્ત ઈસુ નાં પુનરુત્થાન નાં સત્ય ને જૂઠ થી દાબી નાખવા માં આવે છે.દરેક ચોકીદારે ખ્રિસ્ત ઈસુ ની કબર પર જે પત્થર ગબડ્યો તે અને ખ્રિસ્ત નાં પુનરુત્થાન નાં સત્ય ને પોતાની નરી આંખે જોયું.
          જો આ સત્ય યહૂદી સમાજ માં પ્રગટ થાય તો એક મોટી સાક્ષી ઊભી થાય અને આખો યહૂદી સમાજ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરીને તારણ પામે.
          પરંતુ ખ્રિસ્ત ઈસુ નાં પુનરુત્થાન નાં સત્ય ને દાબી નાખવા માટે તેમજ જૂઠું બોલવા માટે સિપાઈ ઓ ને ઘણાં નાણાં આપવામાં આવે છે. કલમ ૧૨ 
          અને તેઓ જૂઠું બોલે છે અને એજ વાત આજ સુધી યહૂદીઓ માં ચાલતી આવે છે. એ જૂઠ હજી સુધી યહૂદી સમાજ માં રાજ્ય કરતું આવ્યુ છે અને તેઓ ખ્રિસ્ત નાં તારણ નાં અનુભવથી વંચિત છે.
          શૈતાન એ અસ્ત્ય નો પિતા છે.
          તે જૂઠો અને જૂઠા નો બાપ છે.
          તેણે જૂઠ બોલીને સ્વર્ગ ના ઘણા દૂતો ને પતિત્ત કર્યાં
          તેણે એડન વાડી માં જૂઠ બોલી ને મનુષ્ય નો ઘાત કર્યો
          તે સત્ય માં સ્થિર રહ્યો નહિ

એ સત્યને દાબી રાખવા માંગે છે ,કેમકે  તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.'
યોહાન 8:32

સત્ય માં સ્વતંત્ર કરવાનું સામર્થ્ય છે,
સત્ય એજ જીવન છે.
સત્ય એ ખ્રિસ્ત ઈસુ પોતે છે.
દેવનું વચન એ જ સત્ય છે.

એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.
એફેસીઓને પત્ર 4:25

જો આજ સુધી આપણે જૂઠું બોલવું એ સહજ ગણ્યું હોય તો આજે જ પ્રભુ પાસે આવીએ ,દેવની પાસે જઈએ અને માફી માગીએ ,કે પ્રભુ મારા પાપ ની માફી મને આપો અને મને સત્ય થી પવિત્ર કરો.હું કોઈ પણ વાતે જૂઠું ન બોલું માટે મને તમે તમારા સત્ય નાં આત્મા થી ભરી દો.પ્રભુ ઈસુના નામ માં માંગુ છું. Amen

લાગુકરણ :
      ઈસુ ખ્રિસ્ત મારા પ્રભુ જે સર્વ સત્ય છે તમેને હું પહેરી લઈ મારા જીવન દ્વારા સુવાર્તા નું સત્ય છે,તારણ નું જે સત્ય છે,અનંતજીવન નું જે સત્ય છે તે લોકો ની આગળ હું પ્રગટ કરીશ. અને કોઈ પણ જૂઠ ને મારા જીવન માં કાર્ય કરવા દઈશ નહિ અને મારા મુખ દ્વારા કોઈ પણ સમય જૂઠ બોલીશ નહિ.

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...