Sunday, 10 July 2022

દેવનાં સર્વોચ્ચ વિચારો

*દેવનાં સર્વોચ્ચ વિચારો*
      કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવા કહે છે. “જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.
યશાયા 55:8‭-‬9
       ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ ; વિચારો નું જન્મ સ્થાન એ તો હૃદય છે,વિચારો હૃદય એટલે કે મન માંથી ઉદભવે છે. મનુષ્ય નું હૃદય સારું વિચારવાને સક્ષમ નથી,વિચાર દ્વારા હૃદય માં શું છે તે બહાર આવે છે અને શબ્દ દ્વારા તે બીજા વ્યકતિ સુધી પહોંચે છે.
      બાઈબલ ની એક એક કલમો એ દેવનો એક એક વિચાર છે.આ વિચારો અતિ ઉચ્ચ કક્ષાનાં છે.એ મનુષ્ય નાં વિચારો કરતા અતિ શ્રેષ્ઠ છે.
       આ વિચારો મનુષ્ય નાં દરેક ક્ષેત્રને માટે માર્ગદર્શન આપે છે.વ્યક્તિગત જીવન,કૌટુંબિક જીવન,સામાજિક જીવન ,આત્મિક જીવન જયારે જયારે આપણે દેવનાં વિચારો પર આધારિત થઈએ છીએ,અને એ વિચારો એટલે કે દેવનાં વચન ને આપણાં જીવનમાં વણી લઈએ છીએ.,હૃદયમાં ભરી લઈએ છીએ..ત્યારે તે વિચારો દ્વારા આપને દરેક ક્ષેત્ર માં સફળ થઈ શકીએ છીએ.

લાગુકરણ : દેવનું નિયમ શાસ્ત્ર એટલે તેમના પવિત્ર વચનો ની એક એક કલમો એ દેવનાં અતિ ઉત્તમ વિચારો છે.એ વિચારો ને આપણાં મનો માં ભરી લઈએ અને એ પ્રમાણે નું જીવન જીવીએ..
         

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...