Tuesday, 2 August 2022

ઉન્નતિ ને સારું આવશ્યક શબ્દો

*સ્પિરિચ્યુઅલ ઈગ્નાઇટ બાઈબલ મનન*
તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે *ઉન્‍નતિને માટે આવશ્યક* હોય તે જ નીકળે કે, તેથી *સાંભળનારાઓનું કલ્યાણ* થાય. વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર *ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,*
એફેસીઓને પત્ર 4:29‭-‬30

આ અદભુત કલમો આપણને ચેતવણી આપે છે,વારંવાર આપણાં મુખો માંથી મલિન વચનો નીકળતા હોય છે,

*મલિન વચનો એટલે મલિન શબ્દો :*
જેવા કે ,સર્વ પ્રકારની કડવાશ
           ક્રોધ,કોપ,ઘોંઘાટ,તથા નિંદા તમેજ ખુન્નસ જે હંમેશા સામેના વ્યક્તિ ને તોડી નાખે છે.નુકસાનકારક છે. (એફસીઓ ને પત્ર ૪:૩૧)

મલિન વચનો હંમેશા પવિત્ર આત્મા ને ખિન્ન કરે છે.

*ઉન્નતિ ને સારું આવશ્યક હોય તેવા વચનો*
ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન (ફિલિપી ૨:૧)
પ્રેમનો કંઈ દિલાસો (ફિલિપી ૨:૧)

દેવનું વચન હંમેશાં બીજા વ્યક્તિઓ ને ઉત્તેજન આપે છે.
દિલાસો આપે છે,
સાંભળનારા નું કલ્યાણ થાય છે.

તેથી હંમેશા આપણે પોતાના મુખનાં શબ્દો વિશે પરીક્ષા કરવી જોઈએ.

*વિચાર કરવાનો પ્રશ્ન* :શું આજે મારાં મુખ માંથી કેવા શબ્દો નીકળે છે?
શું તે શબ્દો ઉન્નતિકારક છે કે નુકશાનકારક?
શું મારા શબ્દો જીવનને બાંધનારા છે કે તોડનારા?

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...