Sunday, 7 August 2022

મનનું ઝેર - કડવાશ

મનનું ઝેર - કડવાશ

તમે બહુ સાવધ રહો, કે જેથી કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી ન જાય, એમ ન થાય કે કોઈ કડવાશરૂપી જડ ઊગે અને તમને ભ્રષ્ટ કરે, તેનાથી તમારામાંના ઘણાં લોક અપવિત્ર થાય, 
હિબ. 12.15

       આ દિવસો માં શૈતાન કડવાં દાણા નાખીને આપણાં સમાજનાં લોકોનાં મનને ભ્રષ્ટ કરી રહ્યો છે.કડવાશ એક પ્રકારનું માનસિક ઝેર છે જે મનને ભ્રષ્ટ કરે છે.અને તેનાંથી પ્રભુના લોકો અપવિત્ર થાય છે.કડવાશરૂપી જડ એક તળાવમાં ઉગેલા જળ કુંભી વનસ્પતિ જેવું છે.જે તળાવમાં ફેલાઈ જવાથી સૂર્યપ્રકાશ ને તળાવમાં જતા અટકાવી દે છે અને આખી પાણી ની સપાટી ને ઢાંકી દે છે.
       
 *કડવાશ ઉત્પન્ન થવાના કારણો:*- 
       ૧.*Communication Gap* કોમ્યુનિકેશન ગેપ (પ્રત્યક્ષ વાર્તાલાપ નો અભાવ)
       ૨. *Mis-understanding* મિસ અન્ડરસ્ટેન્ડીંગ (ગેરસમજણ)
       ૩. *Unforgiveness* અન ફરગીવનેસ (અક્ષમા અથવા ક્ષમા વિહીનતા)
       ૪. *More Expectations* મોર એક્સપેકટેશન (મનુષ્ય પાસેથી વધારે અપેક્ષાઓ)
      ૫. સામાજિક તેમજ કૌટુંબિક તુચ્છકાર
      ૬. Spiritual Unmaturity - આત્મિક પરિપક્વતા નો અભાવ 
      ૭. Unexpectation 
    
 *કડવાશનાં પરિણામો :-*
       ૧. કડવાશ દેવની કૃપાને અટકાવે છે.
       ૨. કડવાશ પક્ષ પાડી દે છે.
       ૩. કડવાશ મનને ભ્રષ્ટ કરે છે.
       ૪. કડવાશ અપવિત્ર કરે છે.
       ૫. કડવાશ ને કારણે નિંદા ઉત્તપન્ન થાય છે.

Tuesday, 2 August 2022

ઉન્નતિ ને સારું આવશ્યક શબ્દો

*સ્પિરિચ્યુઅલ ઈગ્નાઇટ બાઈબલ મનન*
તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે *ઉન્‍નતિને માટે આવશ્યક* હોય તે જ નીકળે કે, તેથી *સાંભળનારાઓનું કલ્યાણ* થાય. વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર *ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,*
એફેસીઓને પત્ર 4:29‭-‬30

આ અદભુત કલમો આપણને ચેતવણી આપે છે,વારંવાર આપણાં મુખો માંથી મલિન વચનો નીકળતા હોય છે,

*મલિન વચનો એટલે મલિન શબ્દો :*
જેવા કે ,સર્વ પ્રકારની કડવાશ
           ક્રોધ,કોપ,ઘોંઘાટ,તથા નિંદા તમેજ ખુન્નસ જે હંમેશા સામેના વ્યક્તિ ને તોડી નાખે છે.નુકસાનકારક છે. (એફસીઓ ને પત્ર ૪:૩૧)

મલિન વચનો હંમેશા પવિત્ર આત્મા ને ખિન્ન કરે છે.

*ઉન્નતિ ને સારું આવશ્યક હોય તેવા વચનો*
ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન (ફિલિપી ૨:૧)
પ્રેમનો કંઈ દિલાસો (ફિલિપી ૨:૧)

દેવનું વચન હંમેશાં બીજા વ્યક્તિઓ ને ઉત્તેજન આપે છે.
દિલાસો આપે છે,
સાંભળનારા નું કલ્યાણ થાય છે.

તેથી હંમેશા આપણે પોતાના મુખનાં શબ્દો વિશે પરીક્ષા કરવી જોઈએ.

*વિચાર કરવાનો પ્રશ્ન* :શું આજે મારાં મુખ માંથી કેવા શબ્દો નીકળે છે?
શું તે શબ્દો ઉન્નતિકારક છે કે નુકશાનકારક?
શું મારા શબ્દો જીવનને બાંધનારા છે કે તોડનારા?

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...