Tuesday, 10 September 2024

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*

 यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता के बड़े दृष्टिकोण से देखें तो हम निश्चित ही निराश नहीं होंगे।

 आध्यात्मिक रूप से अंतिम स्पर्श देने के लिए (आध्यात्मिक जीवन की सुंदरता और सुगंध को बढ़ाने और प्रभु की कृपा को प्रकट करने के लिए) परमेश्वर हमारे जीवन में परिस्थितियों और समय की अनुमति देते हैं जिसमें हम स्वर्गीय पिता के साथ घनिष्ठ संबंध में आते हैं और उनके अगापे प्रेम का अनुभव करते हैं।

 *मसीह यीशु की प्रार्थना*

 प्रभु यीशु ने गतसमनी के बगीचे में पिता से प्रार्थना की कि यदि हो सके तो इस कटोरे को मेरे पास से हटा देना, परन्तु मेरी नहीं, परन्तु तेरी इच्छा पूरी हो...।


 *एलिय्याह की प्रार्थना*

 परन्तु वह स्वयं एक दिन की यात्रा करके जंगल में चला गया, और वहां एक रोटम के पेड़ के नीचे बैठ गया और प्रार्थना करने लगा कि *मैं स्वयं मर जाऊं*।  उसने कहा, "बस हो गया, हे यहोवा परमेश्वर, मेरा प्राण ले ले, मैं अपने पुरखाओं से अच्छा नहीं हूं।" 

 1 राजा.  19.4

 ईज़ेबेल से भागने के बाद एलिय्याह ने प्रार्थना की कि, मेरी जान ले लो... लेकिन आज तक प्रभु ने एलिय्याह की प्रार्थना स्वीकार नहीं की....आज भी वह शरीर में जीवित है,उसकी मृत्यु नहीं हुई


 *पौलुस की प्रार्थनाएँ*

 पौलुस ने मेरे शरीर में कांटा निकालने के लिए प्रार्थना की, लेकिन प्रभु ने कांटे को उसके शरीर में रहने दिया।

 इसके बारे में मैंने प्रभु  से तीन बार प्रार्थना की कि वह मेरा दर्द दूर कर दें।   परन्तु उसने मुझ से कहा, 'तुम्हारे लिये मेरी कृपा काफी है;  क्योंकि मेरी सामर्थ निर्बलता में सिद्ध होती है, विशेष करके मैं अपनी निर्बलता पर बड़े आनन्द से घमण्ड करूंगा, कि मसीह की शक्ति मुझ पर स्थिर रहे। 

Friday, 17 May 2024

અનુત્તરિત પ્રાર્થનાઓ

ઘણી પ્રાર્થનાઓ નો ઉત્તર આપણી ઈચ્છા પ્રમાણે નથી મળતો તો આપણે નિરાશા માં ડૂબી જવાનું નથી,સ્વર્ગીય પિતા નાં મોટા દ્રષ્ટિકોણ થી આપણે જોઈશું તો ચોક્કસ આપને નિરાશ થાશું નહિ ,
આત્મિક રીતે ફાઇનલ ટચ આપવાને માટે (આત્મિક જીવન ની સુંદરતા અને સુગંધ ને વધારવાના માટે અને દેવની કૃપા પ્રગટ થાય માટે આપણા જીવનમાં દેવ તેવી પરિસ્થતિ અને સમય આવવા દે છે જેમાં સ્વર્ગીય પિતાના આપણે ઘનિષ્ઠ સબંધ માં આવીએ છીએ અને તેના આગાપે પ્રેમનો અનુભવ કરીએ છીએ....
*ખ્રિસ્ત ઈસુની પ્રાર્થના*
પ્રભુ ઈસુ એ ગેથસેમાં ની વાડી માં પિતાને પ્રાર્થના કરી કે,બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો ,પરંતુ મારી નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ....

*એલિયા ની પ્રાર્થના*

પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે *પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના* કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.” 
1 રાજા. 19.4
ઇઝબેલ થી નાસી જઈને એલિયા એ પ્રાર્થના કરી કે,મારો જીવ તું લઇ લે....પરંતુ આજ સુધી પ્રભુએ એલિયા ની પ્રાર્થના માન્ય નથી કરી....

*પાઉંલની પ્રાર્થનાઓ*
🔥પાઊલે પ્રાર્થના કરી કે મારા દેહનો કાંટો દૂર થાય,પરંતુ પ્રભુએ એ કાંટો તેના દેહમાં રહેવા દીધો....
તે વિષે મેં ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી કે તે મારી પાસેથી પીડા દૂર કરે.  પણ તેમણે મને કહ્યું કે ‘તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે’ એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે. 
2 કરિં. 12.8-9

Sunday, 14 April 2024

રણશિંગડું વાગવાનો સમય

तुरही गूंजने का समय आ गया, 

प्रार्थना में जागृत रहो ऐ कलीसिया

सीधे हो कर आपने सर उठाओ

छुटकारे का दिन करीब आ गया*


प्रेमी येशु जल्दी महिमा में आएगा

आत्मा में सिद्ध हो कर उसे मिलेंगे

दुनिया को अलविदा कहते हुए 

येशु से मिलने को तैयार हो जाए



વ્યસ્તતા ની વ્યસ્તતા સઘળું વ્યસ્ત છે...

નૂહ નાં સમય માં લોકો ખાતા પીતા અને પરણતા પરણાવતા હતા,

આ સઘળી બાબતો જગત નો વ્યહવાર સૂચવે છે,ખ્રિસ્ત નાં આવવા ના સમય માં પણ એવુજ થશે ,

સમય થોડો રહેલો છે માટે;

અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.

1 કરિં. 7.31


ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય. 

1 કરિં. 7.29


ગઈ કાલે ઈરાને ઇઝરાયેલ પર યુદ્ધ ની ઘોષણા કરી છે,કેટલો ઓછો સમય બાકી છે આ વચન પૂરું થવાને ? 


પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે.

લૂક 21.20


જોજો સાવચેત રહીએ ; જો આપણે એટલું બધી વ્યસ્તતા માં છીએ કે આપણા વરરાજા ઈસુ ખ્રિસ્ત ને મળવાની તૈયારી નથી કરી શકતા તો વિચાર કરીએ,સ્વર્ગ તરફ આંખો ઊંચી કરીએ અને દેવનાં આગમન ની રાહ જોતા જીવનો ને તૈયાર કરીએ ,બીજા ભાઈ બહેનો ને સતર્ક કરીએ....


*

Sunday, 7 August 2022

મનનું ઝેર - કડવાશ

મનનું ઝેર - કડવાશ

તમે બહુ સાવધ રહો, કે જેથી કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી ન જાય, એમ ન થાય કે કોઈ કડવાશરૂપી જડ ઊગે અને તમને ભ્રષ્ટ કરે, તેનાથી તમારામાંના ઘણાં લોક અપવિત્ર થાય, 
હિબ. 12.15

       આ દિવસો માં શૈતાન કડવાં દાણા નાખીને આપણાં સમાજનાં લોકોનાં મનને ભ્રષ્ટ કરી રહ્યો છે.કડવાશ એક પ્રકારનું માનસિક ઝેર છે જે મનને ભ્રષ્ટ કરે છે.અને તેનાંથી પ્રભુના લોકો અપવિત્ર થાય છે.કડવાશરૂપી જડ એક તળાવમાં ઉગેલા જળ કુંભી વનસ્પતિ જેવું છે.જે તળાવમાં ફેલાઈ જવાથી સૂર્યપ્રકાશ ને તળાવમાં જતા અટકાવી દે છે અને આખી પાણી ની સપાટી ને ઢાંકી દે છે.
       
 *કડવાશ ઉત્પન્ન થવાના કારણો:*- 
       ૧.*Communication Gap* કોમ્યુનિકેશન ગેપ (પ્રત્યક્ષ વાર્તાલાપ નો અભાવ)
       ૨. *Mis-understanding* મિસ અન્ડરસ્ટેન્ડીંગ (ગેરસમજણ)
       ૩. *Unforgiveness* અન ફરગીવનેસ (અક્ષમા અથવા ક્ષમા વિહીનતા)
       ૪. *More Expectations* મોર એક્સપેકટેશન (મનુષ્ય પાસેથી વધારે અપેક્ષાઓ)
      ૫. સામાજિક તેમજ કૌટુંબિક તુચ્છકાર
      ૬. Spiritual Unmaturity - આત્મિક પરિપક્વતા નો અભાવ 
      ૭. Unexpectation 
    
 *કડવાશનાં પરિણામો :-*
       ૧. કડવાશ દેવની કૃપાને અટકાવે છે.
       ૨. કડવાશ પક્ષ પાડી દે છે.
       ૩. કડવાશ મનને ભ્રષ્ટ કરે છે.
       ૪. કડવાશ અપવિત્ર કરે છે.
       ૫. કડવાશ ને કારણે નિંદા ઉત્તપન્ન થાય છે.

Tuesday, 2 August 2022

ઉન્નતિ ને સારું આવશ્યક શબ્દો

*સ્પિરિચ્યુઅલ ઈગ્નાઇટ બાઈબલ મનન*
તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે *ઉન્‍નતિને માટે આવશ્યક* હોય તે જ નીકળે કે, તેથી *સાંભળનારાઓનું કલ્યાણ* થાય. વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર *ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,*
એફેસીઓને પત્ર 4:29‭-‬30

આ અદભુત કલમો આપણને ચેતવણી આપે છે,વારંવાર આપણાં મુખો માંથી મલિન વચનો નીકળતા હોય છે,

*મલિન વચનો એટલે મલિન શબ્દો :*
જેવા કે ,સર્વ પ્રકારની કડવાશ
           ક્રોધ,કોપ,ઘોંઘાટ,તથા નિંદા તમેજ ખુન્નસ જે હંમેશા સામેના વ્યક્તિ ને તોડી નાખે છે.નુકસાનકારક છે. (એફસીઓ ને પત્ર ૪:૩૧)

મલિન વચનો હંમેશા પવિત્ર આત્મા ને ખિન્ન કરે છે.

*ઉન્નતિ ને સારું આવશ્યક હોય તેવા વચનો*
ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન (ફિલિપી ૨:૧)
પ્રેમનો કંઈ દિલાસો (ફિલિપી ૨:૧)

દેવનું વચન હંમેશાં બીજા વ્યક્તિઓ ને ઉત્તેજન આપે છે.
દિલાસો આપે છે,
સાંભળનારા નું કલ્યાણ થાય છે.

તેથી હંમેશા આપણે પોતાના મુખનાં શબ્દો વિશે પરીક્ષા કરવી જોઈએ.

*વિચાર કરવાનો પ્રશ્ન* :શું આજે મારાં મુખ માંથી કેવા શબ્દો નીકળે છે?
શું તે શબ્દો ઉન્નતિકારક છે કે નુકશાનકારક?
શું મારા શબ્દો જીવનને બાંધનારા છે કે તોડનારા?

Sunday, 10 July 2022

દેવનાં સર્વોચ્ચ વિચારો

*દેવનાં સર્વોચ્ચ વિચારો*
      કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવા કહે છે. “જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.
યશાયા 55:8‭-‬9
       ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ ; વિચારો નું જન્મ સ્થાન એ તો હૃદય છે,વિચારો હૃદય એટલે કે મન માંથી ઉદભવે છે. મનુષ્ય નું હૃદય સારું વિચારવાને સક્ષમ નથી,વિચાર દ્વારા હૃદય માં શું છે તે બહાર આવે છે અને શબ્દ દ્વારા તે બીજા વ્યકતિ સુધી પહોંચે છે.
      બાઈબલ ની એક એક કલમો એ દેવનો એક એક વિચાર છે.આ વિચારો અતિ ઉચ્ચ કક્ષાનાં છે.એ મનુષ્ય નાં વિચારો કરતા અતિ શ્રેષ્ઠ છે.
       આ વિચારો મનુષ્ય નાં દરેક ક્ષેત્રને માટે માર્ગદર્શન આપે છે.વ્યક્તિગત જીવન,કૌટુંબિક જીવન,સામાજિક જીવન ,આત્મિક જીવન જયારે જયારે આપણે દેવનાં વિચારો પર આધારિત થઈએ છીએ,અને એ વિચારો એટલે કે દેવનાં વચન ને આપણાં જીવનમાં વણી લઈએ છીએ.,હૃદયમાં ભરી લઈએ છીએ..ત્યારે તે વિચારો દ્વારા આપને દરેક ક્ષેત્ર માં સફળ થઈ શકીએ છીએ.

લાગુકરણ : દેવનું નિયમ શાસ્ત્ર એટલે તેમના પવિત્ર વચનો ની એક એક કલમો એ દેવનાં અતિ ઉત્તમ વિચારો છે.એ વિચારો ને આપણાં મનો માં ભરી લઈએ અને એ પ્રમાણે નું જીવન જીવીએ..
         

Monday, 7 March 2022

જાગ જાગ હૈ દબોરાહ

    *જાગ, જાગ, હે દબોરા; જાગ, જાગ, ગાયન કર; હે બારાક, તું ઊઠ, અને, હે અબીનોઆમના દીકરા, તને ગુલામ કરનારાને તું ગુલામ કરી લઈ જા.*
ન્યાયાધીશો 5:12 

  યહોવાની દ્રષ્ટિ માં ભૂંડું કરવાને લીધે ,ઇઝરાયેલ પુત્રો ને દેવે કનાન ના રાજા યાબીન ના હાથોમાં વેચી દીધા હતા,અને તેઓએ ઇઝરાયેલ પુત્રો પર વીસ વર્ષ સુધી બહુજ જુલમ કર્યો....

સૈન્યનું સામર્થ્ય :યાબીન ની પાસે લોઢા ના નવસો રથ હતા ,તે સમયે લોઢાના ૯૦૦ રથો હોવા એટલે આજના સમય પ્રમાણે પરમાણુ હથિયારો સમાન સામર્થ્ય હોવું.

યહોવાને પોકાર :અતિશય જુલમ ને લીધે ઇઝરાયેલ પુત્રો એ યહોવાને પોકાર કર્યો.અને ન્યાયાધીશો ના સમય માં પ્રભુએ એક સ્ત્રી દબોરાહ ને ઇઝરાએલના છુટકારો અપાવવા માટે ઉભી કરી.

દબોરાહ પ્રબોધિકાનાં પડકારો :
     *પડકાર-૧*
લાપીદોથ ની વહુ હતી,એનો અર્થ એ કે તે સ્ત્રી કૌટુંબિક જવાબદારી ઓ પણ નિભાવે છે.એટલે આ સ્ત્રી ને આત્મિક જવાબદારીઓ સાથે કૌટુંબિક જવાબદારીઓ પણ છે.તે પોતનાં સાસરી માં રહે છે અને ત્યાંની પણ એક જવાબદારીઓ છે.
*પડકાર-૨*
    ઇઝરાએલના ન્યાયની આત્મિક-રાષ્ટ્રિય જવાબદારીઓ કેમકે દેશનાં લોકો તેની પાસે ન્યાય મેળવવા માટે આવતા હતા...
    *પડકાર-૩*
દબોરાહ એ એક સ્ત્રી હતી અને પુરુષ કરતા સ્ત્રીઓ ને ખૂબ મોટા પડકારો હોય છે.

ઇઝરાએલની કરુણતા અને સ્ત્રીનો ઉપયોગ:-
     કોઈ પુરુષ રાષ્ટ્રીય ઉદ્ધારને માટે ઉભો થતો નથી,તેથી પ્રભુ એક સ્ત્રી પાત્ર નો ઉપયોગ એક પુરુષ સમાન કરે છે.કનાન ની સામે વિજય નો જશ એક સ્ત્રી ને મળે છે..એક સ્ત્રી નો ઈશ્વર કંઈ રીતે ઉપયોગ કરે છે તે બાબત અહીં છે. ન્યાયાધીશો ૪:૯


પ્રભુની પસંદ કરેલી દબોરાહો આજે તમારા દેશના ઉદ્ધારને માટે ઉઠો,જાગો.....કેમકે દબોરાહ,એસ્ટર જેવી સ્ત્રીઓનો ઉપયોગ કરીને ખ્રિસ્ત ઈસુ આપના દેશનો ઉદ્ધાર કરવા માંગે છે.આજે એવીજ દબોરાહ ની શોધ આપણો પ્રભુ કરી રહ્યો છે.

આજની સ્ત્રી ને પ્રાર્થના યોદ્ધાઓ તરીકે
પવિત્ર આત્માથી ભરપૂર એક સેવિકા તરીકે
શત્રુ નો નાશ કરનારી એક વિરંગના તરીકે 
હિમંત થી દેશને માટે ઉભી થનારી એક એસ્તર રાણી ની જેમ 
દેવ ચાહે છે કે ,આજે દબોરાહ જાગે ને દેશને માટે મધ્યસ્થી કરે

પ્રભુની સામર્થ્ય થી ભરેલી સેવિકા કૅથરિન કુલમન ,મારિયા વુડવાર્થ એટર,ફ્રેની કોસ્બિ, એમી સેમ્પલ મેકફર્સન,ની સમાન આજે શત્રુ ના દરેક કર્યો ને નાશ કરવા ,તમને દેવ બોલાવી રહ્યો છે...વિચાર કરો આજે જ નિર્ણય કરો.... બસ દબોરાહ બસ હવે ઉઠો અને જાગો....આજે દેશ આત્મિક ગુલામી માં છે...એમજ બેસી રહેવાનો સમય  નથી...



     

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...