*૨૦૨૨ માં પ્રતિકૂળ સંજોગો માં પણ તત્પર રહીએ*
તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.
તિમોથીને બીજો પત્ર 4:2
આજ સુધી આપણે અનુકૂળ સમય જોઈને સેવા કરી છે,અથવા અનુકૂળ સમાયો ની રાહ જોતાં જોતા હજી પણ સેવા માટે પગલું ભર્યું નથી,
જેવી રીતે પાઉલ તીમોથી ને કહે છે કે,અનુકૂળ તથા પ્રતિકૂળ પરિસ્થિતિમાં તત્પર રહે, એટેલે કે પોતાનાં કમ્ફર્ટ ઝોન માં રહીને સેવા ન કર પણ,કોઈ પણ સમયે,તું સુવાર્તા પ્રચાર ને માટે તૈયાર રહે, રાત હોય કે દિવસ દરેક સમયે તૈયાર રહે...
આપણાં માના ઘણા બધા પ્રભુની સેવામાં છે,બે વર્ષ થયાં મહામારી આવી અને આ વર્ષે પણ લોક ડાઉન તેમજ ત્રીજી લહેરનાં સમાચારો સંભળાય છે,પ્રભુ ના લોકોની સતાવણી થઈ રહી છે,હવે પછી અનુકૂળ પરિસ્થિતિ આવશે એની આશા ન રાખો,ક્રુસેડ થશે એની આશા ન રાખો પરંતુ જે પરિસ્થિતિમાં આપણે છીએ તેમાં જ કઈ રીતે ખ્રિસ્ત ઈસુની સુવાર્તા,ઉપદેશ ઘણા બધા લોકો ને સુધી પહોંચાડી શકાય તે માટે પ્રયત્નો ચાલુ કરીયે,પવિત્ર આત્મા દેવની દોરવણી હેઠળ ૨૦૨૨ ને માટે પ્રતિકૂળ સંજોગોમાં પણ તત્પર રહેવા માટે પ્રભુ પાસે મદદ માંગીએ..
*વિશ્વાસ ની કબૂલાત* હૈ પ્રભુ યીશુ ૨૦૨૨ માં પણ હું ,પ્રતિકૂળ સમય માં પણ તમારા નામ ને પ્રગટ કરવા, સુવાર્તા ફેલાવવા માટે હું તત્પર રહીશ.કેમકે પ્રભુ યહોવા મારુ બળ છે,તે મારા પગોને હરણી ના જેવા ચપળ કરે છે.ને મારા ઉચ્ચસ્થાનો પર ચલાવશે....આમીન
No comments:
Post a Comment