Tuesday, 28 September 2021

"આશીર્વાદો નો નશો*


આશીર્વાદો ને પચાવી જાણો

અને નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષાવાડી રોપી. અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો.
ઉત્પત્તિ 9:20‭-‬21 

      નૂહ દેવની નજર માં ન્યાયી માણસ હતો,અને દેવે તેને તેમજ તેના કુટુંબ ને વહાણ દ્વારા જળપ્રલય થી બચાવ્યો,ત્યાર પછી નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષાવાડી રોપી. અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો.
         .જળપ્રલય વખતે એ તારણ રૂપી વહાણ દ્વારા ઈશ્વરે નૂહ અને તેના કુટુંબ ને તારણ આપ્યું. એ બાબત આપને જાણીએ છીએ.અને જળપ્રલય પછી નૂહ ખેતી કરવા લાગ્યો અને દ્રાક્ષ વાડી રોપી અને તે પીધેલો થયો.અને તે નવસ્ત્ર થયો.
         ખ્રિસ્ત ઈસુમાં મહાન તારણ ની ભેટ મળ્યા પછી દરેક લોકો સર્વાંગી રીતે આશીર્વાદો પ્રાપ્ત કરે છે.નૂહ જેવી રીતે ખેતી કરવા લાગ્યો અને દ્રાક્ષ વાડી રોપી એ આશીર્વાદો ને સૂચવે છે. તારણ પામેલા લોકો દરેક રીતે ફળવંત થાય છે.અને પ્રભુનાં આશિષ મેળવે છે.અને કૌટુંબિક ,ભૌતિક ,આર્થિક આશીર્વાદો માં એટલા બધા ડૂબી જાય છે કે જાણે નૂહ ની સમાન "આશીર્વાદો નો નશો" તેઓ કરે છે.
         જેવી રીતે નૂહે દ્રાક્ષ વાડી રોપી અને તે પીધેલો થયો.અને તે નવસ્ત્ર થયો.તેજ પ્રમાણે આજે તારણ પામેલા લોકો ની સ્થતિ છે.
         તેઓના જીવનમાં "આશીર્વાદો નો નશો" એટલો બધો છે  કે તેઓએ ખ્રિસ્ત ઈસુ એ આપેલા તારણ નાં વસ્ત્રો ને ઉતારી નાખ્યા છે.અને જગત ની સાથે સમાધાન કરી ને ફેશન,મોભો,ઘમંડ,જગત નાં વાના ઓ માં રચ્યા પચ્યા રહે છે.
     આજે વિચાર કરવાની જરૂર છે,મનોમંથન નો આજે દિવસ છે.શું આજે આપણે આશીર્વાદ નાં નશા માં આશીર્વાદ નાં સ્રોત ખ્રિસ્ત ઈસુ નાં વ્યક્તિગત સબંધ ને ત્યજી તો નથી દિધો ને ? શું ખ્રિસ્ત ઈસુ એ આપણા જીવનમાં આપેલા એ તારણ નાં વસ્ત્ર ને આપને ઉતારી તો નથી નાખ્યું ને ? જેમ જગત નાં લોકો જીવે છે તેવી જીવન શૈલી અપનાવી ને શું આપને જગત સાથે સમાધાન તો નથી કર્યું ને ?

જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
યોહાનનો પહેલો પત્ર 2:15‭-‬16 

એ માટે હું તને એવી સલાહ આપું છું કે, તું ધનવાન થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; અને તું વસ્‍ત્ર પહેરે, ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય, માટે ઊજળાં વસ્‍ત્ર વેચાતાં લે. અને તું દેખતો થાય, માટે અંજન [વેચાતું] લઈને તારી આંખોમાં આંજ.
પ્રકટીકરણ 3:18 
         
         
         

Monday, 27 September 2021

આશીર્વાદો ને પચાવી જાણો

આશીર્વાદો ને પચાવી જાણો 

દેવ પોતાનાં લોકો ને કોઈ પણ પ્રકારના આશીર્વાદો થી વંચિત રાખવા માંગતા નથી.આત્મિક,ભૌતિક,સામાજિક,આર્થિક કોઈ પણ પ્રકારનાં આશીર્વાદથી પ્રભુ આપણને દૂર રાખવા માંગતા નથી.
પરંતુ દેવને એ ભય છે કે ,આશીર્વાદો મળ્યા પછી મારું પાત્ર એ આશીર્વાદો માં રચ્યા પચ્યા રહીને મને ભૂલી ન જાય ,અને આધ્યાત્મિક નુકશાન ન ભોગવે.
         આપણા ખ્રિસ્તી સમાજ માં દરેક લોકો ને પ્રભુ આશીર્વાદો આપે છે અને લોકો દરેક પ્રકારનાં ભૌતિક આશીર્વાદો માં સમૃદ્ધ થાય છે.પરંતુ એ આશીર્વાદો નાં નશા માં જે સર્વ આશીર્વાદ નાં સ્ત્રોત ખ્રિસ્તને ભૂલી જાય છે.
      ઈબ્રાહિમ ને સંતાન નો આશીર્વાદ ન હતો ,તેની પાસે દરેક પ્રકારનાં ભૌતિક આશીર્વાદો હતા ,પણ તેમને તેણે પચાવી જાણ્યા હતા,અને દેવ સાથેની સંગત માં તે વિશ્વાસુ રહ્યો હતો.
   પરંતુ જ્યારે સંતાન રૂપી આશીર્વાદ જે દેવ તરફથી મળેલું એક ધન સમાન હતું તેના તરફ તેની દ્રષ્ટિ જવા લાગી હતી,તેથી દેવે તેની કસોટી કરી અને ઈબ્રાહિમ ની આંખોને ઉઘાડી અને તેને જાણ્યું કે ,બાળક રૂપી ધન ને પણ માટે પચાવી જાણવાનું છે.અને દેવ સાથેનાં વ્યક્તિગત સબંધ માં સાતત્ય જાળવવાનું છે.

શું આપણે આપણાં આશીર્વાદો માં એટલા બધા ગળા ડૂબ થઈ ગયા છે ? કે જે આશીર્વાદ નાં સ્રોત છે ખ્રિસ્ત ઈસુ એનેજ આપને ભૂલી ગયા છે? શું ખ્રિસ્ત સાથેનાં વ્યક્તિગત સબંધ માં આપને છીએ?આજે જ તપાસ કરીએ અને દેવ સાથેનાં સંબંધની પુનઃ સ્થાપના કરીએ.

Saturday, 11 September 2021

*Why God have taken His Servent During the Time Of Corona* ?

*Why God have taken His Servent During the Time Of Corona* ?
उपरोक्त प्रश्न आज पूरे मसीह समाज का हैं। हर एक ख्रीस्त यीशु पर विश्वास करने वाले व्यक्ति के जीवन में ये प्रश्न उभर रहा है, कि करोना महामारी में प्रभु की अपने सवको के प्रति क्या योजना है?   हम प्रभु से कभी सवाल नहीं पूछ सकते हैं पर प्रभु के द्वारा दिए गए उसके वचन और पवित्र आत्मा की अगुवाई के अनुसार हम इन प्रश्नों का उत्तर देने का प्रयास कर सकते हैं।

प्रभु के ह्रदय की बात जाननी हो तो पवित्र आत्मा की आवाज़ सुननी पड़ेगी। *1 कुरन्थियों 2:10-11* के अनुसार *"परन्तु परमेश्वर ने उन को अपने आत्मा के द्वारा हम पर प्रगट किया; क्योंकि आत्मा सब बातें, वरन परमेश्वर की गूढ़ बातें भी जांचता है।"*
इसलिए प्रभु की आत्मा के सिवाय प्रभु की बातें और कोई नहीं जानता।
एज्रा ने परमेश्वर की व्यवस्था का अध्ययन किया, और निम्नलिखित कारणों को पाया:

*1.  गेहूं के दाने के समान मर जाना:- (To be fruitful for God)*
*2.  क्लेश में जाने से सेवकों को बचाया जाना।*
*3.  नयी पीढ़ी को तैयार करना-( New Generation-Joshua Generation)* 
*4.  लोगों को अपने तरीके से तैयार करना सीखाना। (चील के शावक का पंखों से उड़ना)*
*5. व्यवस्था का पूराना तरीका-आत्मा का नवीन तरीका*

1.  *गेहुं के दाने मर जाते हैं-: यहुन्ना 12:24* *"मैं तुम से सच सच कहता हूं, कि जब तक गेहूं का दाना भूमि में पड़कर मर नहीं जाता, वह अकेला रहता है परन्तु जब मर जाता है, तो बहुत फल लाता है।*

आत्मिक संसार में नया जन्म लिए हुए लोगों को भी गेहूं कहा जाता है। मौजूदा परिस्थितियों में जब पास्टरो और सेवकों को गेहूं के दाने से तुलना की जाए तो उनकी मृत्यु के पीछे प्रभु की बड़ी योजना छुपी हुई है। पिछले दिनों में बहुत से चरवाहों ने मृत्यु पायी है उनकी मृत्यु के बाद से, अनेक "शक्तिशाली अध्यात्मिक सेवक" बहुत से और गेहूं के दाने पैदा करने जा रहे हैं निश्चित रूप से इस वचन के अनुसार प्रभु की योजना हो सकती है। 


2. *विपत्ति से सेवकों को छुड़ा लेना:-यशायाह 57:1-2*
*"धर्मी जन नाश होता है, और कोई इस बात की चिन्ता नहीं करता; भक्त मनुष्य उठा लिए जाते हैं, परन्तु कोई नहीं सोचता। धर्मी जन इसलिये उठा लिया गया कि आने वाली आपत्ति से बच जाए, वह शान्ति को पहुंचता है; जो सीधी चाल चलता है वह अपनी खाट पर विश्राम करता है।*
परमेश्वर पिता संसार में जो निश्चित रूप से  आने वाले क्लेश से बचाने के लिए सेवकों को बुला ले रहे हैं। 
*प्रकाशित वाक्य 14:13*
*"और मैं ने स्वर्ग से यह शब्द सुना, कि लिख; जो मुरदे प्रभु में मरते हैं, वे अब से धन्य हैं, आत्मा कहता है, हां क्योंकि वे अपने परिश्र्मों से विश्राम पाएंगे, और उन के कार्य उन के साथ हो लेते हैं।"*

*3. नेतृत्व का स्थानांतरण:-*मूसा से यहोशु*

वर्तमान में *(व्यवस्थाविवरण 31:7तब मूसा ने यहोशू को बुलाकर सब इस्राएलियों के सम्मुख कहा, कि तू हियाव बान्ध और दृढ़ हो जा; क्योंकि इन लोगों के संग उस देश में जिसे यहोवा ने इनके पूर्वजों से शपथ खाकर देने को कहा था तू जाएगा; और तू इन को उसका अधिकारी कर देगा*)  
हम  स्वर्गीय कनान देश के नज़दीक आ पहुंचे हैं हम प्रभु के राज्य के एकदम नजदीक समय में है।

जो चरवाहे प्रभु में सो गए उनके मार्गदर्शन और मध्यस्थता की प्रार्थनाओं के तहत मंडलिया चल रही हैं। पर जब मूसा जैसे अगुवो को प्रभु कहते हैं कि अब तुम्हारा नेतृत्व नयी पीढ़ी के जवानों (यहोशु की पीढ़ी) को सौंप देने की जरूरत है। क्योकि स्वर्गीय कनान देश के तरफ आगे बढ़ने के लिए प्रभु यहोशु जैसे जवानों, जोश और शक्ति से भरपूर ऐसे अगुवो को देने जा रहे हैं। इस कारण मूसा की मृत्यु आवश्यक है जिस से यहोशु की सेवकाई प्रारंभ हो सके। 

   मूसा की सेवा को प्रभु ने कुछ निर्धारित समय के लिए ही ठहराई हैं उसके बाद यहोशु की सेवा और नेतृत्व ठहराया हैं।

*4.  प्रभु अपनी संतानों को उड़ना सिखने के लिए: (चील के बच्चे के समान)*
चील का शावक उड़ना सिखे इस कारण वह अपने बच्चों को घोसले से नीचे फेक देती है। घोसला विश्वासियों के कम्फर्ट ज़ोन का सूचक हैं।  घोंसले के अन्दर जो बच्चे बैठे रहते हैं, उन्हें चील खुद खाना ढूंढ कर उनकी चोंच में देकर खिलाती है बच्चों को माता से पोषण एवं रक्षन के साथ-साथ पंखों से गर्मी भी मिलती है। लेकिन चील के शावक जीवन भर घोसले में ही रहे और चील उन्हें खिलाती रहे, ऐसा होता नहीं है। 

*5. पूराना तरीका-नया तरीका (रोमियो 7:6)*
इसलिए, हम पुरानी व्यवस्था के अनुसार नहीं, बल्कि आत्मा के अनुसरण करने वाले नए तरीके के अनुसार सेवा करें।  परमेश्वर के राज्य में यीशु मसीह के आने से पहले व्यवस्था पूरानी प्रणाली के अनुसार चलती थी। मूसा के समय व्यवस्था लागू हुई। लेकिन यीशु मसीह के आने के बाद वैध प्रतिशोध समाप्त हो गया। और प्रभु यीशु मसीह की मृत्यु, दफन और पुनरुत्थान के द्वारा पवित्र आत्मा से कार्यरत नयी विधि प्रारंभ हुई।

जैसे जैसे समय बितता है बच्चे बड़े होते जाते हैं और उन्हें परीपक्व होने की जरूरत होती है। उन्हें खुद से उड़ना सिखना पड़ता है और खुद अपना खाना ढूंढना होता है। 

अलग अलग पासवान द्वारा प्रभु ने अपने वचनों के अर्थ समझा कर हमे तैयार किया, हमे आत्मिक पोषण दिया। हमारे मुँह में वचन रुपी बीज डाला पर अब प्रभु हमारी आत्मिक निर्भरता दूर करना चाहते हैं। प्रभु हर एक विश्वासी को कोई मनुष्य पर नहीं परंतु यीशु पर पूर्ण से आश्रित हो जाए। प्रभु अपने बच्चों को उनके आत्मिक अधीकारो की पहचान करवाना चाहते(प्रभु के बेटे बेटियों के रुप में हमारे अधिकार क्या हैं एवं उनका उपयोग सिखाना चाहते हैं)

Friday, 10 September 2021

*આધ્યાત્મિક નુકશાન*

*આધ્યાત્મિક નુકશાન*
તેમણે તેઓની માગણી પ્રમાણે તેમને આપ્યું; પણ તેઓને આત્મિક નુકસાન થયું.
ગીતશાસ્‍ત્ર 106:15

આપણા જીવનમાં રહેલી અદ્ર્શ્ય મૂર્તિઓ આપણ ને આધ્યાત્મિક નુકશાન તરફ લઈ જાય છે.

- જ્યારે જ્યારે આપણે પ્રભુ ઈસુ પાસે માંગીએ છીએ ત્યારે પ્રભુ આપણને આપે જ છે.કેમકે આપણે સ્વર્ગીય પિતાના દીકરા દીકરીઓ છીએ.
- પણ શું આપણે ફક્ત આપણા પૃથ્વી પરના જીવન માટે ભૌતિક વાનાઓ માંગીએ છીએ ?
- શું આપણે દેવ પાસે ફકત ઘર,નોકરી,ધંધો,નફો,દ્રવ્ય, બાળકો,કે દ્ર્શ્ય વાના ઓ માંગીએ છીએ?
- શું આપણે દેવ પાસે ફક્ત દ્ર્શ્ય અને ભૌતિક વાનાં ઓ માંગીએ છીએ?
- શું આપણે પોતાની ઈચ્છા પ્રમાણે માંગીએ છીએ કે ઇશ્વર ની સિદ્ધ ઈચ્છાઓ પ્રમાણે ?

આધ્યાત્મિક નુકશાન ખૂબ મોટું નુકશાન છે
આધ્યાત્મિક નુકશાન અનંતકાળ નું નુકશાન છે
આધ્યાત્મિક નુકશાન ન ભરપાઈ થઈ શકે એવું નુકશાન છે.

ઈબ્રાહિમ : આ વ્યક્તિ ને યહોવા દેવે દીકરાનું દાન આપ્યું પરંતુ પ્રભુ જોઈ રહ્યા હતા કે ઈબ્રાહિમ નું ધ્યાન પોતાના દીકરા તરફ વધારે પડતું થઈ રહ્યું હતું. વૃદ્ધ ઉંમર માં મળેલો દીકરા રૂપી આશીર્વાદ તેને એક આધ્યાત્મિક નુકશાન તરફ લઈ જાય તેવી સંભાવના ઊભી થઈ હતી.આજ દીકરો એક રીતે તેની મૂર્તિ બની ગયો હતો.
   તેથી જ દેવે ઈબ્રાહિમ ની પરીક્ષા કરી,અને પોતાના દીકરા નું બલિદાન આપવાનું ઈબ્રાહિમ ને કહેવામાં આવ્યું જેથી ઈબ્રાહિમ ખૂબ મોટા આધ્યાત્મિક નુકશાન માંથી બચી જાય.

શું આપણા જીવનમાં આપણે કોઈ વસ્તુ વ્યક્તિ. ને વધારે પ્રેમ કરીએ છીએ ? એને ઈશ્વર કરતા વધારે મહત્તમ સ્થાન આપીએ છીએ ? કોઈ વસ્તુ વ્યક્તિ પ્રત્યે ખ્રિસ્ત કરતા વધારે લગાવ છે ?  જો હા તો આપણે આધ્યાત્મિક નુકશાન તરફ જઈ રહ્યા છે. આપણા આધ્યાત્મિક નુકશાન નું કારણ આપનાં બાળકો, માતા પિતા કે નોકરી કે ધંધો કે મિલકત કે દ્રવ્ય કે મિત્રો તો નથી ને ? વિચાર કરીએ આજે જ આપને કોઈ આધ્યાત્મિક નુકશાન તો નથી વેઠી રહ્યા ને ?
આપણે ખ્રિસ્ત સાથે નાં શાંત સમય ને બીજા કોઈ વ્યક્તિ વસ્તુ ને તો નથી આપી દિધો ને ?
આપણે સ્તુતિ આરાધના અને ખ્રિસ્ત નાં જીવંત વચનો થી દુર તો નથી ગયા ને. ?
આજે જ મનોમંથન નો દિવસ છે.વિચાર કરીએ આપનો મોબાઈલ કે સોશિયલ મીડિયા તમારું આત્મિક નુકશાન તો નથી કરી રહ્યાં ને ..?

Thursday, 9 September 2021

*આધુનિક મૂર્તિપૂજા*

*આધુનિક મૂર્તિપૂજા*
     ખ્રિસ્તી લોકો દેવની આજ્ઞા ને અનુસાર કોઈ મૂર્તિ ને નમતા નથી અને તેની ભક્તિ કરતા નથી,
            તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર. તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું,
નિર્ગમન 20:4‭-‬5
        જૂના કરાર માં ઘણા બધા રાજાઓ તેમજ યહૂદી પ્રજા એ મૂર્તિપૂજા કરવા લાગ્યા હતા ,વિદેશી લોકોના દેવી દેવતા ઓ ને પોતાના કરી લીધા હતા અને આ પાપ ને લીધે યહોવા પરમેશ્વર વારંવાર તેઓને શિક્ષા કરતા હતા અને તેઓ સંકટ માં આવી પડતાં હતાં.
        મુસા જ્યારે પર્વત પર દેવને મળવા માટે ગયો તે સમયે હારુન તથા ઇઝરાયેલી પ્રજા એ સોનાનું વાછરડું બનાવીને તેની સ્તુતિ કરવાનું શરૂ કરીને જીવતાં  દેવને રોષ ચઢાવ્યો હતો.
        *યહોવા પરમેશ્વર એ આસ્થાવાન દેવ છે.જે પોતાની સ્તુતિ તેમજ મહિમા કોઈ બીજી વ્યક્તિ,મૂર્તિ કે માણસ ને આપવા દેતા નથી.*
       *મૂર્તિ નો સીધો અને સરળ અર્થ એ છે કે, જે સ્થાન દેવનું છે તે સ્થાન બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ ને આપવું.*
       *સૌથી પ્રથમ સ્થાન જીવતાં  ઈશ્વર નું જ છે.*
        અને જો તમે અને હું એ સ્થાન બીજી કોઈ નિર્જીવ વસ્તુ કે સજીવ વ્યક્તિ ને પણ આપો તો એ નિર્જીવ વસ્તુ તમારી મૂર્તિ છે.અને એ સજીવ વ્યક્તિ તમારી મૂર્તિ છે.
        તમારી મિલકત તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારા દીકરા દીકરી તમારી મૂર્તિ હોઈ શકે છે.
        તમારા માતા પિતા તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારું ધન દ્રવ્ય તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારી સંસ્થા તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારી પત્ની કે પતિ તમારી મૂર્તિ હોય શકે છે
        તમારી ખેતીવાડી તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારું કેરિયર અભ્યાસ તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારી નોકરી ધંધો તમારી મૂર્તિ હોય શકે છે .
        તમારો મોબાઈલ સ્માર્ટ ફોન તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારું સોશ્યલ મીડિયા તમારી મૂર્તિ હોય શકે છે.
       તમારા મિત્રો સબંધીઓ તમારી મૂર્તિ હોય શકે છે.
        આજે આપનાં જીવન માં વિચાર કરવાની જરૂર છે *શું આ પ્રકારનાં મૂર્તિપૂજક આપણે તો નથી ને* ?શું આજે પણ આપણે દેવનાં પ્રથમ સ્થાન ને મહત્વ ન આપીને બીજી કોઈ વ્યક્તિ,વસ્તુ ને પ્રથમ સ્થાન તો નથી આપવા માંડ્યા ને ?
   સરળ ભાષા માં - *"ખ્રિસ્ત ઈસુ જીવતાં દેવ કરતા વિશેષ પ્રેમ બીજી કોઈ વસ્તુ - વ્યક્તિ ને કરવો એટલે જ મૂર્તિ પૂંજા"*
        ઈસુએ ઉત્તર આપ્યો, “પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ સાંભળ; પ્રભુ આપણો ઈશ્વર તે પ્રભુ એક જ છે; અને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. અને બીજી એ છે કે જેમ તું પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પ્રેમ કર તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.”
માર્ક 12:29‭-‬31
    વિચાર કરીએ ✝️વધસ્તંભ નું ઊભું લાકડું પ્રથમ દેવ પ્રત્યેના પ્રેમ ને દર્શાવે છે.જે સૌથી મોટી આજ્ઞા છે.અને બીજી આજ્ઞા માણસો પ્રત્યે પ્રેમ કરવા માટેની આજ્ઞા છે.જે ✝️વધસ્તંભ નું આડું લાકડું છે.ફકત એક લાકડા થી વધસ્તંભ બની શકતો નથી તેથી પ્રથમ આજ્ઞા દેવ પ્રત્યે પ્રેમ કરીએ અને એકબીજા પ્રત્યે પ્રેમ કરીએ .દેવનું સ્થાન બીજી કોઈ વ્યક્તિ ને કે વસ્તુ ને આપણે આપતાં હોય તો આ મૂર્તિ પૂજા ને આજે જ ત્યજી દઈએ..આજે જ મનોમંથન કરવાનો દિવસ છે.

Wednesday, 8 September 2021

*દેવ સાથેનો વાયા સંબંધ અને ડાયરેક્ટ સબંધ *

*દેવ સાથેનો વાયા સંબંધ અને ડાયરેક્ટ સબંધ *

એડન  વાડી માં આદમ અને હવા સાથે દેવ રૂબરૂ વાત કરતા હતા અને પાપ નાં આવ્યા પહેલા દેવનો માણસ ની સાથે વ્યક્તિગત સબંધ હતો પણ પાપ પછી તે સબંધ તૂટી ગયો.અને ત્યાર બાદ પ્રભુ નો આત્મા તેની પાસેથી જતા રહ્યા,અને ઈશ્વર પોતાના સેવકો દ્વારા,પ્રબોધકો તેમજ ન્યાયાધીશો દ્વારા પોતાના લોકો સાથે વાત કરતા હતા.પરંતુ માણસ નો દેવ સાથેનો વ્યક્તિગત સબંધ ન હતો, વાયા કરીને પ્રભુ માણસો ની સાથે વાત કરતા.આ જૂના કરાર નો સબંધ હતો.
  પણ ખ્રિસ્ત ઈસુ નાં આવ્યા પછી જે એડન વાડી માં દેવ સાથેનાં વ્યક્તિગત સબંધ ની દોરી તૂટી ગઈ હતી તે ફરીથી એકવાર પુનઃસ્થાપિત થઈ.ખ્રિસ્ત ઈસુ જે દ્વારા જ્યારે વધસ્તંભ પર બલિદાન આપવામાં આવ્યું ત્યારે મંદિર નો પડદો ફાટી ગયો અને પિતા અને પુત્ર નો વ્યક્તિગત સબંધ ફરી પાછો જોડાયો.
       આમ ખ્રિસ્ત ઈસુમાં નવા કરાર દ્વારા દરેક તેના પર વિશ્વાસ કરનાર વ્યક્તિ દરેક પિતા ની હજૂર માં તેમના સાથે વ્યક્તિગત સબંધ માં આવી શકે છે.
       તેમને આપણને જે પવિત્ર આત્મા આપ્યો છે તેમની સહાય થી અને ખ્રિસ્ત ઈસુ દ્વારા આપણે આપણા સ્વર્ગીય પિતા નાં વ્યક્તિગત સબંધ માં આવીએ છીએ.
       સબંધ માં વાર્તાલાપ હોય છે. Communication
       સબંધ માં શેરિંગ હોય છે. Sharing
       સબંધ માં સમય ની ફાળવણી હોય છે Time 
       સબંધ માં વિશ્વાસુ પણું હોય છે. Faithfulness
       સબંધ માં ભરોસો હોય છે Trust
       સબંધ માં પારદર્શકતા હોય છે Transperancy
શું તમે ખ્રિસ્ત ઈસુ સાથે વ્યક્તિ ગત સબંધ માં છો? કે પછી હજી પણ કોઈ વાયા વ્યક્તિ છે તમારી વચ્ચે ?
આજે જ વિચાર કરો ,નિર્ણય કરો...
God want direct relationship with Christ Jesus.

Tuesday, 7 September 2021

દેવને તમારું *થોડું* આપો

વિષય : દેવને તમારું *થોડું* આપો 
થોડું તેલ અને થોડો લોટ :-

પણ તે વિધવાએ જવાબ આપ્યો, "તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી મરણ પામીએ."
1 રાજઓ 17:12

      આપણે ઘણી બધી વખત ઈશ્વરને  માટે થોડી વસ્તુ આપવાને માટે વિચાર કરીએ છીએ ,અને કહીએ છીએ મારી પોતાની જ પાસે થોડું છે તો તેને કઈ રીતે હું ઈશ્વરને આપી શકું ? એ સરફત ની વિધવા ની પાસે એક મુઠ્ઠી લોટ અને કુંડી માં થોડું જ તેલ હતું , એ વસ્તુ દેવનાં સેવક ને આપવાને માટે તે મુઝવણ અનુભવે છે ,પણ જ્યારે એ જ થોડું તેલ અને થોડો લોટ જ્યારે દેવનાં અભિષિક્ત સેવકને માટે આપે છે એટલે કે દેવનાં રાજ્યમાં વાવણી કરે છે ત્યારે એજ થોડા ને પ્રભુ બહુ ગુણીત કરે છે.

નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.
ગીતશાસ્ત્ર 37:16

ખ્રિસ્ત નાં લોકો પાસે જે કંઈ પણ થોડું છે તે દુષ્ટો ની વિપુલ સંપતિ કરતા વધારે છે.કેમકે ખ્રિસ્તના આશીર્વાદો એ થોડી સંપતિ માં હોય છે અને તે આપણને આનંદ થી ભરી દેનારા હોય છે.

'એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?'
યોહાન 6:9
ફિલિપે તેમને જવાબ આપ્યો, 'બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.'
યોહાન 6:7

પહાડ પરના ભાષણ વખતે લોકો ભૂખ્યા હતા ત્યારે એક જુવાન પાસે થોડું જ ભોજન હતું.ફકત જવની પાંચ રોટલી અને બે માછલી પણ પુશ્કળતા નો પ્રભુ જ્યારે તેમની સાથે હતો અને જ્યારે એ થોડું ભોજન ખ્રિસ્તના હાથો માં આવ્યું ત્યારે તે વધીને પાંચ હજાર લોકો ને માટે આશીર્વાદ નું કારણ બન્યું અને *બહુ ગુણિત* થયું.

જેમ લખેલું છે, 'જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહિ; અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહિ.'
કરિંથીઓને બીજો પત્ર 8:15

જયારે દેવનાં લોકો પોતાની થોડી વસ્તુઓ દેવને આપી દે છે ત્યારે તે ખૂટી પડતું નથી પણ મહાન પરમેશ્વર તેને બહુ ગુણિત કરીને પાછા આપે છે. આપણાં ઈશ્વર એ પુષ્કળતા નાં પ્રભુ છે અને તેઓ થોડી વસ્તુ ને વધારનાર દેવ છે.

*ખ્રિસ્ત ની પાસે આપણી પાસે થોડું છે તે લાવીએ તે થોડા ને વધારે માં રૂપાતરિત કરશે.
   તમારો થોડો સમય,થોડી પ્રાર્થના,થોડું મનન,થોડી સ્તુતિ આરાધના,થોડા નાણાં દેવને માટે આપી દો ,અને આ બાબત ને માટે ચોક્કસ થાઓ ,દેવ કદી પણ તમારી થોડી વસ્તુઓ ને ખૂટવા દેશે નહિ.*

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...