આશીર્વાદો ને પચાવી જાણો
દેવ પોતાનાં લોકો ને કોઈ પણ પ્રકારના આશીર્વાદો થી વંચિત રાખવા માંગતા નથી.આત્મિક,ભૌતિક,સામાજિક,આર્થિક કોઈ પણ પ્રકારનાં આશીર્વાદથી પ્રભુ આપણને દૂર રાખવા માંગતા નથી.
પરંતુ દેવને એ ભય છે કે ,આશીર્વાદો મળ્યા પછી મારું પાત્ર એ આશીર્વાદો માં રચ્યા પચ્યા રહીને મને ભૂલી ન જાય ,અને આધ્યાત્મિક નુકશાન ન ભોગવે.
આપણા ખ્રિસ્તી સમાજ માં દરેક લોકો ને પ્રભુ આશીર્વાદો આપે છે અને લોકો દરેક પ્રકારનાં ભૌતિક આશીર્વાદો માં સમૃદ્ધ થાય છે.પરંતુ એ આશીર્વાદો નાં નશા માં જે સર્વ આશીર્વાદ નાં સ્ત્રોત ખ્રિસ્તને ભૂલી જાય છે.
ઈબ્રાહિમ ને સંતાન નો આશીર્વાદ ન હતો ,તેની પાસે દરેક પ્રકારનાં ભૌતિક આશીર્વાદો હતા ,પણ તેમને તેણે પચાવી જાણ્યા હતા,અને દેવ સાથેની સંગત માં તે વિશ્વાસુ રહ્યો હતો.
પરંતુ જ્યારે સંતાન રૂપી આશીર્વાદ જે દેવ તરફથી મળેલું એક ધન સમાન હતું તેના તરફ તેની દ્રષ્ટિ જવા લાગી હતી,તેથી દેવે તેની કસોટી કરી અને ઈબ્રાહિમ ની આંખોને ઉઘાડી અને તેને જાણ્યું કે ,બાળક રૂપી ધન ને પણ માટે પચાવી જાણવાનું છે.અને દેવ સાથેનાં વ્યક્તિગત સબંધ માં સાતત્ય જાળવવાનું છે.
શું આપણે આપણાં આશીર્વાદો માં એટલા બધા ગળા ડૂબ થઈ ગયા છે ? કે જે આશીર્વાદ નાં સ્રોત છે ખ્રિસ્ત ઈસુ એનેજ આપને ભૂલી ગયા છે? શું ખ્રિસ્ત સાથેનાં વ્યક્તિગત સબંધ માં આપને છીએ?આજે જ તપાસ કરીએ અને દેવ સાથેનાં સંબંધની પુનઃ સ્થાપના કરીએ.
No comments:
Post a Comment