Tuesday, 28 September 2021

"આશીર્વાદો નો નશો*


આશીર્વાદો ને પચાવી જાણો

અને નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષાવાડી રોપી. અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો.
ઉત્પત્તિ 9:20‭-‬21 

      નૂહ દેવની નજર માં ન્યાયી માણસ હતો,અને દેવે તેને તેમજ તેના કુટુંબ ને વહાણ દ્વારા જળપ્રલય થી બચાવ્યો,ત્યાર પછી નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષાવાડી રોપી. અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો.
         .જળપ્રલય વખતે એ તારણ રૂપી વહાણ દ્વારા ઈશ્વરે નૂહ અને તેના કુટુંબ ને તારણ આપ્યું. એ બાબત આપને જાણીએ છીએ.અને જળપ્રલય પછી નૂહ ખેતી કરવા લાગ્યો અને દ્રાક્ષ વાડી રોપી અને તે પીધેલો થયો.અને તે નવસ્ત્ર થયો.
         ખ્રિસ્ત ઈસુમાં મહાન તારણ ની ભેટ મળ્યા પછી દરેક લોકો સર્વાંગી રીતે આશીર્વાદો પ્રાપ્ત કરે છે.નૂહ જેવી રીતે ખેતી કરવા લાગ્યો અને દ્રાક્ષ વાડી રોપી એ આશીર્વાદો ને સૂચવે છે. તારણ પામેલા લોકો દરેક રીતે ફળવંત થાય છે.અને પ્રભુનાં આશિષ મેળવે છે.અને કૌટુંબિક ,ભૌતિક ,આર્થિક આશીર્વાદો માં એટલા બધા ડૂબી જાય છે કે જાણે નૂહ ની સમાન "આશીર્વાદો નો નશો" તેઓ કરે છે.
         જેવી રીતે નૂહે દ્રાક્ષ વાડી રોપી અને તે પીધેલો થયો.અને તે નવસ્ત્ર થયો.તેજ પ્રમાણે આજે તારણ પામેલા લોકો ની સ્થતિ છે.
         તેઓના જીવનમાં "આશીર્વાદો નો નશો" એટલો બધો છે  કે તેઓએ ખ્રિસ્ત ઈસુ એ આપેલા તારણ નાં વસ્ત્રો ને ઉતારી નાખ્યા છે.અને જગત ની સાથે સમાધાન કરી ને ફેશન,મોભો,ઘમંડ,જગત નાં વાના ઓ માં રચ્યા પચ્યા રહે છે.
     આજે વિચાર કરવાની જરૂર છે,મનોમંથન નો આજે દિવસ છે.શું આજે આપણે આશીર્વાદ નાં નશા માં આશીર્વાદ નાં સ્રોત ખ્રિસ્ત ઈસુ નાં વ્યક્તિગત સબંધ ને ત્યજી તો નથી દિધો ને ? શું ખ્રિસ્ત ઈસુ એ આપણા જીવનમાં આપેલા એ તારણ નાં વસ્ત્ર ને આપને ઉતારી તો નથી નાખ્યું ને ? જેમ જગત નાં લોકો જીવે છે તેવી જીવન શૈલી અપનાવી ને શું આપને જગત સાથે સમાધાન તો નથી કર્યું ને ?

જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
યોહાનનો પહેલો પત્ર 2:15‭-‬16 

એ માટે હું તને એવી સલાહ આપું છું કે, તું ધનવાન થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; અને તું વસ્‍ત્ર પહેરે, ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય, માટે ઊજળાં વસ્‍ત્ર વેચાતાં લે. અને તું દેખતો થાય, માટે અંજન [વેચાતું] લઈને તારી આંખોમાં આંજ.
પ્રકટીકરણ 3:18 
         
         
         

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...