Wednesday, 8 September 2021

*દેવ સાથેનો વાયા સંબંધ અને ડાયરેક્ટ સબંધ *

*દેવ સાથેનો વાયા સંબંધ અને ડાયરેક્ટ સબંધ *

એડન  વાડી માં આદમ અને હવા સાથે દેવ રૂબરૂ વાત કરતા હતા અને પાપ નાં આવ્યા પહેલા દેવનો માણસ ની સાથે વ્યક્તિગત સબંધ હતો પણ પાપ પછી તે સબંધ તૂટી ગયો.અને ત્યાર બાદ પ્રભુ નો આત્મા તેની પાસેથી જતા રહ્યા,અને ઈશ્વર પોતાના સેવકો દ્વારા,પ્રબોધકો તેમજ ન્યાયાધીશો દ્વારા પોતાના લોકો સાથે વાત કરતા હતા.પરંતુ માણસ નો દેવ સાથેનો વ્યક્તિગત સબંધ ન હતો, વાયા કરીને પ્રભુ માણસો ની સાથે વાત કરતા.આ જૂના કરાર નો સબંધ હતો.
  પણ ખ્રિસ્ત ઈસુ નાં આવ્યા પછી જે એડન વાડી માં દેવ સાથેનાં વ્યક્તિગત સબંધ ની દોરી તૂટી ગઈ હતી તે ફરીથી એકવાર પુનઃસ્થાપિત થઈ.ખ્રિસ્ત ઈસુ જે દ્વારા જ્યારે વધસ્તંભ પર બલિદાન આપવામાં આવ્યું ત્યારે મંદિર નો પડદો ફાટી ગયો અને પિતા અને પુત્ર નો વ્યક્તિગત સબંધ ફરી પાછો જોડાયો.
       આમ ખ્રિસ્ત ઈસુમાં નવા કરાર દ્વારા દરેક તેના પર વિશ્વાસ કરનાર વ્યક્તિ દરેક પિતા ની હજૂર માં તેમના સાથે વ્યક્તિગત સબંધ માં આવી શકે છે.
       તેમને આપણને જે પવિત્ર આત્મા આપ્યો છે તેમની સહાય થી અને ખ્રિસ્ત ઈસુ દ્વારા આપણે આપણા સ્વર્ગીય પિતા નાં વ્યક્તિગત સબંધ માં આવીએ છીએ.
       સબંધ માં વાર્તાલાપ હોય છે. Communication
       સબંધ માં શેરિંગ હોય છે. Sharing
       સબંધ માં સમય ની ફાળવણી હોય છે Time 
       સબંધ માં વિશ્વાસુ પણું હોય છે. Faithfulness
       સબંધ માં ભરોસો હોય છે Trust
       સબંધ માં પારદર્શકતા હોય છે Transperancy
શું તમે ખ્રિસ્ત ઈસુ સાથે વ્યક્તિ ગત સબંધ માં છો? કે પછી હજી પણ કોઈ વાયા વ્યક્તિ છે તમારી વચ્ચે ?
આજે જ વિચાર કરો ,નિર્ણય કરો...
God want direct relationship with Christ Jesus.

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...