Thursday, 29 July 2021

દુશ્મન ને પ્રેમ કરો

*દૈનિક રેહમાં વચન - દુશ્મન પ્રેમ કરો*
      *આધાર વચન :* પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા *શત્રુઓ પર પ્રેમ* કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું *ભલું કરો*, જેઓ તમને શાપ દે છે તેઓને *આશીર્વાદ દો*, જેઓ તમારું અપમાન કરે છે તેઓને *સારુ પ્રાર્થના* કરો.
લૂક 6:27‭-‬28

બાઈબલ વાંચન : લૂક ૬:૨૭-૩૮

       માનવીય દ્રષ્ટિ કોણ થી એકદમ વિરોધાભાસ લાગે તેવી બાબતો આધાર વચન માં લખવામાં આવી છે. મનુષ્ય માત્ર દુશ્મન પર પ્રેમ કરી શકતો નથી કેમકે મનુષ્ય નો સ્વભાવ એવો ગુણ ધરાવતો જ નથી.
    📌   *વૈરી ઉપર પ્રેમ કરો :-*
વૈરી (માનવીય દ્રષ્ટિ માં શત્રુ) એ હંમેશા દ્વેષ કરે છે અને પોતાના દુશ્મન નું ભૂંડું જ કરે છે. શાસ્ત્રી ફરોશીઓ હંમેશા ખ્રિસ્ત ઈસુ નું ભૂંડું જ કરતા હતા એજ એમનો સ્વભાવ હતો.પરંતુ ખ્રિસ્ત ઈસુ તો પ્રેમ થી ભરેલા હતા , તેમણે વધસ્તંભ પર પણ પોતાનાં વેરીઓ જેઓ શાસ્ત્રી કે ફરોસી દરેક જે તેમનો વિરોધ કરતા હતા દરેક ને માફ કર્યા.
     વૈરી જેવી રીતે પોતાનો વૈર ભાવ નો સ્વભાવ છોડતા નથી તેવી જ રીતે ખ્રિસ્ત ઈસુ પણ પોતાનો પ્રેમ નો સ્વભાવ અંત સુધી છોડતા નથી.

📌 *દ્વેષ કરનારનું ભલું :-*
       આ પણ એક કઠિન કાર્ય છે ,માનવીય પ્રયત્નો થી દ્વેષ કરનાર નું ભલું કરી શકાતું નથી.દ્વેષ કરવો એ એક નફરત નું બીજ છે.નફરત નું બીજ હંમેશા નફરત ને ઉત્તેજન આપે છે.શૈતાન એ બીજ રોપે છે. દ્વેષ એ દૈહિક સ્વભાવ નું ફળ છે.
      ખ્રિસ્ત નાં બાળકો તરીકે કદી પણ આપનો દ્વેષ કરનાર નું ભૂંડું આપને કરી શકીએ નહિ.આપણા ને ભૂંડું કરવાની છૂટ નથી. આપણે લોકો,કુટુંબીજનો કે અન્ય લોકો જેઓ આપણો દ્વેષ કરે છે તેઓને નફરત કરવા ની છૂટ નથી.
       *દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.*
રોમ. 12:21*

*લાગુકરણ:-*
      *આપણે ભલાઈ થી ભૂંડા ને હરાવવા નું છે.દૈવી સ્વભાવ જે પ્રેમનો સ્વભાવ છે અને ખ્રિસ્ત ઈસુ નો સ્વભાવ છે તે આપણે પહેરી લઈ ને આપણાં વૈરી અને દ્વેષી ઓ પર પ્રેમ કરવાનો છે.*

પ્રાર્થના: હૈ પ્રભુ મારા વૈરી ઓ પર પ્રેમ કરવા એમને મદદ કરો.હૈ પિતા અમને પવિત્ર આત્મા જે દૈવી પ્રેમ નો આત્મા છે તેનાથી ભરી દો.દ્વેષી ઓ નું પણ ભલું કરવા અમારી મદદ કરો.

Wednesday, 28 July 2021

ખોટી શિખામણ - દુષ્ટ સલાહ* - ⚰️મૃત્યુ તરફ લઈ જાય છે.

*-: દૈનિક રેહ્ના વચન :-*
↩️ *ખોટી શિખામણ - દુષ્ટ સલાહ* - ⚰️મૃત્યુ તરફ લઈ જાય છે.

શાસ્ત્રવાંચન : ૨જુ કાળવૃતાંત ૨૨:૧-૭ 

📜 *નેકીવાનના વિચાર ભલા હોય છે, પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે.*
નીતિ. 12:5
         📜 આહાબના કુટુંબની જેમ અહાઝયાહએ *ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું* હતું તે કર્યુ, કારણ કે તેના પિતાના મૃત્યુ પછી તેઓ તેનો નાશ થાય એવાં *સલાહસૂચનો* આપતા હતા. અને તે તેઓની *ખોટી સલાહ* માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યોરામ સાથે ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.
2 કાળ. 22:4‭-‬5 

સુલેમાન નું રાજ્ય બે ભાગમાં વિભાજીત થઈ ગયું હતું,ઇઝરાયેલ અને યહુદિયા-યરૂશાલેમ , ઇઝરાયેલ પર દુષ્ટ રાજા આહબ નાં વંશજ યહોરામ રાજ્ય કરતા હતા જ્યારે યહુદિયા,માં યહોસાફાત જેવો દેવનો  પસંદ પડે તેવો રાજા રાજ્ય કરતો હતો પરંતુ તેનો દીકરો યહોરામ તેના પિતા ને માર્ગે ચાલ્યો નહિ.અને તેનો પુત્ર અહાઝ્યા રાજ કરવા લાગ્યો.

🤴યહોશાફાટ (ભલો રાજા)- નો પુત્ર યહોરામ (દુષ્ટ રાજા) - નો પુત્ર આહઝ્યા (દુષ્ટ રાજા)

*યહોરામ રાજા ની પત્ની : અહઝ્યા ની માતા અથાલ્યા*
- દુષ્ટ રાણી હતી🧛🏻‍♀️
- દુષ્ટ કૃત્યો કરવાની સલાહ આપતી હતી
- ખોટી શિખામણ આપતી હતી 

અહઝયા રાજા :-🤴
📌યહોવાની દ્રષ્ટિ માં ભૂંડું હતું તે કર્યું
📌ખોટી શિખામણ નો સ્વીકાર કર્યો
📌આહાબ નાં પુત્ર યહોરામ ની સાથે યુદ્ધ કરવા ગયો
📌અહઝ્યાં રાજા , યહોરામ (જે બીમાર હતો) તેને જોવા ગયો તેથી દેવ તરફ થી તેનો નાશ નિર્મિત હતો
📌 યહોવા નાં અભિષિક્ત યેહુ ની સામે જવાથી તેનો નાશ થયો.

લાગુકરણ:-
      આપણે દુષ્ટ સલાહ આપનારા લોકો ની શિખામણ માનવી જોઈએ નહિ. 
      દુષ્ટ સલાહ આપણને ઘણી બધી વખત યોગ્ય અને વ્યાજબી લાગતી હોય છે પણ તે મૃત્યુ તરફ લઈ જાય છે.
    મનો મંથન કરીએ ,વિચાર કરીએ કે આપણે કોની સલાહ માનીએ છીએ. 
     *પવિત્ર આત્મા દેવ એ ઉત્તમ સલાહકાર છે.તેમનો ધીરો મીઠો પ્રેમી અવાજ સંભાળી ને તેમની સલાહ નો સ્વીકાર કરીએ.તો આપણા જીવનમાં કપટી સલાહ સૂચનો થી બચી જઈશું.અને ખ્રિસ્ત કે જે આપણા તારનાર છે તેને માર્ગે ચાલી શકીશું.*

Tuesday, 27 July 2021

તમારા વૈરી ને ઓળખો

ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’” દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.
રોમ. 12:19‭, ‬21

       ગઈ કાલના મનન માં આપણે જોયું કે ,ઘણા બધા આપણાં નિકટના વ્યક્તિઓ દ્વારા શૈતાન આપણાં ઉપર દુઃખ,પીડા અને આપત્તિ લાવે છે અને આપણાં મિત્રો, કુટુંબનાં સભ્યો કે સગા વહાલાઓ જ આપણી વિરૃદ્ધ થઈ જાય છે,
      શૈતાન હમેશાં નફરત અને શ્રાપ ને ફેલાવે છે અને કુટુંબો,મિત્રો,ભાઈઓ,બહેનો,સગા વહાલા ની વચ્ચે નફરત નું બીજ રોપે છે.✝️પરંતુ *ખ્રિસ્ત ઈસુ* હમેશાં *પ્રેમ* ને પ્રગટ કરે છે અને *આશીર્વાદ* ને આપણાં વ્યક્તિગત જીવનમાં તેમજ કુટુંબમાં અને મિત્રોમાં પણ *દૈવી પ્રેમ ને પ્રવાહિત* કરે છે.
  📌 *આપણો વૈરી કોઈ મનુષ્ય નથી :*
પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.
રોમ. 12:20
કેમ કે આપણું આ 🏹 *યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી*,
એફેસીઓને પત્ર 6:12

*રક્ત અને માંસ થી બનેલો માણસ*🧍‍♂️ એ આપણો શત્રુ નથી.માટે જે આપણી વિરૃદ્ધ થાય છે તેઓ ને માટે આપણે સારું જ કરવાનું છે.સારા થી ભુંડા નો પરાજય કરવાનો છે.

📌 *વૈર વાળવું એ દેવનું કાર્ય છે :*
      દેવનાં કોપ ને સારું માર્ગ મૂકવાનો છે અને મનુષ્ય માત્ર ને માફ કરી ને તેમને દેવનાં હાથમાં સોંપી દેવાના છે. આપણે કદી પણ મનુષ્ય ની સામે વૈર ન વાડીએ *(એ દેવની આજ્ઞા છે કે સામુ વૈર ન વાળો)*,જો આપને આજ્ઞા ભંગ કરીશું તો દેવનો પવિત્ર આત્મા આપણી પાસેથી જતા રહેશે.
📌 *આપણો વૈરી કોણ છે ?*
સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે *તમારો વૈરી શેતાન* ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
1 પિત. 5:8

કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ
*અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે* છે.
એફેસીઓને પત્ર 6:12

આકાશી સ્થાનો માં એટલે મધ્ય આકાશ માં જયાં દુષ્ટતા નાં આત્મિક લશ્કરો છે તેઓની સામે આપનું યુદ્ધ છે તેઓ આપના વૈરીઓ છે.

🧎🏻‍♂️પ્રાર્થના :*હૈ પરમેશ્વર પિતા, અમને અમારા વૈરી ને ઓળખવા કૃપા આપો.મનુષ્ય ની પ્રત્યે અમે વૈર ન રાખીએ પરંતુ તમારો  દૈવી નિસ્વાર્થ પ્રેમ વહેતો કરી શકીએ અને અમારો અદ્ર્શ્ય શત્રુ વૈરી શૈતાન અને તેના કર્યો ને અમે ઓળખી ને તેને નાકામ કરી શકીએ માટે તમારા પવિત્ર આત્મા નું સામર્થ્ય અને પ્રાર્થના કરવાનો આત્મા આપો.આત્મિક યુદ્ધમાં સજ્જ કરો.પ્રભુ ઈસુના નામ માં આમીન*

Monday, 26 July 2021

યહોવાના યાજકો

📜 *દૈનિક રેહ્ના - યાજક - યહોવાનો દૂત*✝️
📖 *શીર્ષક : મુખ ની શરમ - આંખ ની શરમ દૂર કરો*

*કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] *યહોવાનો દૂત* છે. પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણાઓને નિયમ [સમજવા] માં ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારનો ભંગ કર્યો છે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. “તમે મારા માર્ગમાં ચાલ્યા નથી, પણ નિયમ [સમજાવવા] માં *મુખની શરમ* રાખી છે, માટે મેં તમને સર્વ લોકની નજરમાં તિરસ્કાર પાત્ર તથા અધમ કરી નાખ્યા છે.”
માલાખી 2:7‭-‬9

          યાજક ને આપને ઉપદેશકો અને પાળકો કહી શકીએ, અહીં તેઓને યહોવાના દૂત તરીકે કહેવામાં આવ્યા છે.જેઓ દેવનો નિયમ લોકો ને સમજાવે છે.
          ઉપદેશકો જેઓ દેવનું વચન સમજાવે છે ,*આંખ ની શરમ* કે *મુખની શરમ* રાખવી ન જોઈએ.

📌 *પાપ કરનાર ને સર્વેની સમક્ષ ઠપકો :-*
1લો તિમોથી 5:૨૦ પાપ કરનારાઓ ને સર્વેની સમક્ષ ઠપકો આપ,જેથી બીજાઓ ને પણ ડર રહે.

પાપ કરનાર વ્યક્તિ ને મંડળી ની સમક્ષ ઠપકો આપવો જરૂરી છે,ઘણી બધી વખત આંખ ની શરમ અને મુખ ની શરમ ને લીધે ઉપદેશકો મંડળી નાં લોકોને પાપ કર્યાં છતાં ઠપકો આપતાં નથી અને મંડળી ની અંદર પાપ કરનાર ને સાંખી લેતા હોય છે પરંતુ એ દેવની નજર માં યોગ્ય નથી.દેવ કોઈ ની શરમ રાખતા નથી તેથી દેવની મંડળી માં પાપ ચલાવી લેવું ન જોઈએ.

📌 *ખાલી શબ્દવાદ થી દુર રહેવું :-*
તું આ વાતોનું તેઓને સ્‍મરણ કરાવીને પ્રભુની સમક્ષ [તેઓને] એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.
તિમોથીને બીજો પત્ર 2:14

ઘણી બધી વખત વચન ની સમજણ ની બહાર ફકત શબ્દ વાદ એટલે કે શબ્દો ની ગોઠવણ કરી ને સંદેશાઓ આપવામાં આવે છે પણ તેમાં હર્દય નું ઊંડાણ હોતું નથી.વચન નું મૂળ હોતું નથી.જે શબ્દો પવિત્ર આત્મા દ્વારા આવતા નથી તે ખાલી શબ્દ વાદ છે.દરેક ઉપદેશકો એ શબ્દ વાદથી દૂર રહેવું જે દેવની પ્રેરણા વગરના શબ્દો છે એ દરેક શબ્દો મનુષ્ય નાં છે.

📌 *સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર:-*
સત્ય હંમેશા કડવું હોય છે,સતત સત્ય જે વચન કહે છે દેવનો આત્મા કહે છે તે જ સત્ય પ્રગટ થવું જોઈએ,નહિ કે જગતની વાતો અને તેના ધારા ધોરણો, જગત કોઈ પણ રીતે ખ્રિસ્ત ઈસુ માં જીવન જીવવા માટે નમૂનો આપી શકતું નથી.ખરો નમૂનો ખ્રિસ્ત ઈસુ છે અને એ જ વચન છે.જે વચન માં ખ્રિસ્ત નો મહિમા થતો નથી તે દેવ તરફથી નથી.
    દરેક વચનો ને સ્પષટતાપૂર્વક સમજાવવા એ એક ઉપદેશક ની ખૂબ મોટી જવાબદારી છે.
      જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં *વચન સ્પષ્ટતાથી સમજાવનાર*, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.
2 તિમ. 2:15

દૈનિક જીવનમાં ઉન્નતિ કરનાર વચનો ને મિત્રો સાથે શેર કરી ને આશીર્વાદ મેળવો ,બીજાઓ ને પણ મોકલો 

Sunday, 25 July 2021

મારા કલ્યાણ નું ચિન્હ

     
📜દૈનિક રેહ્માં વચન✝️
🌈કલ્યાણ નું ચિન્હ🌈

   ,મારા કલ્યાણનું ચિહ્ન મને દેખાડો કે, મારા દ્વેષીઓ તે જોઈને લજવાય; કેમ કે, હે યહોવા, તમે મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે.
ગીતશાસ્‍ત્ર 86:17 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.86.17.GUJOVBSI

            આ જગત માં જયારે આપણું સારું કે ભલું થઈ રહ્યું હોય છે ત્યારે શત્રુઓ પણ તે જોઈ શકતા નથી કે સાંખી શકતા નથી,
            જ્યારે યાકુબ બહુ વૃદ્ધિ પામે છે ત્યારે,તેના સસરા લાબાનની દ્રષ્ટિ તેની આગળ ભૂંડી થાય છે. ઉત્પતિ ૩૧:૨ 
            જ્યારે ઇસહાક ગેરારમાં ઇબ્રાહિમે ખોદેલા કૂવાઓ જે પૂરી દેવામાં આવ્યા હતા તે ખોદી કાઢે છે ત્યારે ઇસહાક નું કલ્યાણ ગેરારનાં ભરવાડો જોઈ શકતા નથી.
            નિર્ગમન ૧:૯ પ્રમાણે ઇઝરાયેલ પુત્રો ઝાઝા અને બળવાન થાય છે ત્યારે ફારુન તથા મિસરીઓ તેઓનું કલ્યાણ જોઈ શકતા નથી.
            જ્યારે જ્યારે દેવનાં લોકો નું સારું થાય છે ત્યારે શત્રુઓ તેમજ ઘણા બધા સગાઓ પણ તે કલ્યાણ જોઈ શકતા નથી.જો પ્રભુ પોતાના લોકોને આશીર્વાદ આપે છે તેઓનું ધન વધે છે,શાંતિ નો રાજકુમાર ઈસુ જ્યારે તેઓના કુટુંબો માં શાંતિ અને આનંદ આપે છે,તેઓ સમાજ માં સુકિર્તી પામે છે ત્યારે શત્રુઓ તે જોઈ શકતા નથી.અને તેઓના હર્દય માં ઈર્ષા ઉત્પન્ન થાય છે તેઓ દેવનાં લોકો ની વિરૃદ્ધ ઘણી બધી બાબતો કરાવે છે અને મેલી વિદ્યા,તેમજ ખોટી અફવાઓ તેમજ ઘણી બધી બાબતો તેઓ કરાવે છે અને જેવી રીતે ફારુન ચતુરાઈ થી ઇઝરાયેલીઓ પ્રત્યે વર્તે છે તેમજ તેઓ પણ વર્તે છે.
            પરંતુ જ્યારે દેવ આપણું કલ્યાણ કરે છે ત્યારે તેમને આપણું કલ્યાણ કરતા કોઈ રોકી શકવાનું નથી.કોઈ મઘ્યઆકાશ નો શત્રુ કે કોઈ જગત નો શત્રુ કે કોઈ પણ બીજો શત્રુ દેવનાં લોકો નાં કલ્યાણ ને રોકી શકતું નથી.

કેમકે દેવ આપણાં શત્રુઓના દેખતા આપણે માટે મિષ્ટાન તૈયાર કરે છે.અને પવિત્ર દેવ ખ્રિસ્ત ઈસુ જ્યારે આપણું કલ્યાણ કરવાનું ચાહે છે ત્યારે તેનાં આ કાર્ય ને કોઈ શત્રુ રોકી શકવાનો નથી.

મારા શત્રુઓના દેખતાં તમે મારે માટે ભાણું તૈયાર કરો છો; તમે મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઊભરાઈ જાય છે.
ગીતશાસ્‍ત્ર 23:5 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.23.5.GUJOVBSI
લાગુ કરણ :
         દેવ ખ્રિસ્ત જે આપનું કલ્યાણ કરે છે ફકત તેમની તરફ જ લક્ષ રાખીએ ,નહિ કે આપના શત્રુ ઓ તરફ

Saturday, 24 July 2021

દાઉદ ની જીવન શૈલી

📜 *દૈનિક રેહમાં વચન* ✝️
*દાઉદ ની જીવન શૈલી*

📌 *૧. દાઉદ રાજા પ્રભાત થાય તે પહેલાં પ્રભુ ની હાજરી માં સમય વિતાવે છે* પ્રભાત થયા પહેલાં મેં અરજ કરી; મેં તમારી વાતની આશા રાખી.
ગીતશાસ્‍ત્ર 119:147 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.147.GUJOVBSI

📌 *૨. રાતના છેલ્લા પહોરે વચન નું મનન :* તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
ગીતશાસ્‍ત્ર 119:148 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.148.GUJOVBSI

📌 *૩.દિવસ માં સાત વાર સ્તુતિ :*
તમારાં યથાર્થ ન્યાયવચનોને લીધે હું રોજ સાત વાર તમારી સ્તુતિ કરું છું.*
ગીતશાસ્‍ત્ર 119:164 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.164.GUJOVBSI

📌 *૪. આખો દિવસ નિયમશાસ્ત્ર નું મનન:* હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.
ગીતશાસ્‍ત્ર 119:97 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.97.GUJOVBSI

📌 *૫. રાત્રે પ્રભુનાં નામ નું સ્મરણ :-*
હે યહોવા, મેં રાત્રે તમારા નામનું સ્મરણ કર્યું છે, અને તમારો નિયમ પાળ્યો છે.
ગીતશાસ્‍ત્ર 119:55 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.55.GUJOVBSI

*દૈનિક રેહમા વચન* શેર કરો અને બીજાને પણ મોકલો અને આશીર્વાદ  મેળવો




अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...