*દૈનિક રેહમાં વચન - દુશ્મન પ્રેમ કરો*
*આધાર વચન :* પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા *શત્રુઓ પર પ્રેમ* કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું *ભલું કરો*, જેઓ તમને શાપ દે છે તેઓને *આશીર્વાદ દો*, જેઓ તમારું અપમાન કરે છે તેઓને *સારુ પ્રાર્થના* કરો.
લૂક 6:27-28
બાઈબલ વાંચન : લૂક ૬:૨૭-૩૮
માનવીય દ્રષ્ટિ કોણ થી એકદમ વિરોધાભાસ લાગે તેવી બાબતો આધાર વચન માં લખવામાં આવી છે. મનુષ્ય માત્ર દુશ્મન પર પ્રેમ કરી શકતો નથી કેમકે મનુષ્ય નો સ્વભાવ એવો ગુણ ધરાવતો જ નથી.
📌 *વૈરી ઉપર પ્રેમ કરો :-*
વૈરી (માનવીય દ્રષ્ટિ માં શત્રુ) એ હંમેશા દ્વેષ કરે છે અને પોતાના દુશ્મન નું ભૂંડું જ કરે છે. શાસ્ત્રી ફરોશીઓ હંમેશા ખ્રિસ્ત ઈસુ નું ભૂંડું જ કરતા હતા એજ એમનો સ્વભાવ હતો.પરંતુ ખ્રિસ્ત ઈસુ તો પ્રેમ થી ભરેલા હતા , તેમણે વધસ્તંભ પર પણ પોતાનાં વેરીઓ જેઓ શાસ્ત્રી કે ફરોસી દરેક જે તેમનો વિરોધ કરતા હતા દરેક ને માફ કર્યા.
વૈરી જેવી રીતે પોતાનો વૈર ભાવ નો સ્વભાવ છોડતા નથી તેવી જ રીતે ખ્રિસ્ત ઈસુ પણ પોતાનો પ્રેમ નો સ્વભાવ અંત સુધી છોડતા નથી.
📌 *દ્વેષ કરનારનું ભલું :-*
આ પણ એક કઠિન કાર્ય છે ,માનવીય પ્રયત્નો થી દ્વેષ કરનાર નું ભલું કરી શકાતું નથી.દ્વેષ કરવો એ એક નફરત નું બીજ છે.નફરત નું બીજ હંમેશા નફરત ને ઉત્તેજન આપે છે.શૈતાન એ બીજ રોપે છે. દ્વેષ એ દૈહિક સ્વભાવ નું ફળ છે.
ખ્રિસ્ત નાં બાળકો તરીકે કદી પણ આપનો દ્વેષ કરનાર નું ભૂંડું આપને કરી શકીએ નહિ.આપણા ને ભૂંડું કરવાની છૂટ નથી. આપણે લોકો,કુટુંબીજનો કે અન્ય લોકો જેઓ આપણો દ્વેષ કરે છે તેઓને નફરત કરવા ની છૂટ નથી.
*દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.*
રોમ. 12:21*
*લાગુકરણ:-*
*આપણે ભલાઈ થી ભૂંડા ને હરાવવા નું છે.દૈવી સ્વભાવ જે પ્રેમનો સ્વભાવ છે અને ખ્રિસ્ત ઈસુ નો સ્વભાવ છે તે આપણે પહેરી લઈ ને આપણાં વૈરી અને દ્વેષી ઓ પર પ્રેમ કરવાનો છે.*
પ્રાર્થના: હૈ પ્રભુ મારા વૈરી ઓ પર પ્રેમ કરવા એમને મદદ કરો.હૈ પિતા અમને પવિત્ર આત્મા જે દૈવી પ્રેમ નો આત્મા છે તેનાથી ભરી દો.દ્વેષી ઓ નું પણ ભલું કરવા અમારી મદદ કરો.
No comments:
Post a Comment