Sunday, 25 July 2021

મારા કલ્યાણ નું ચિન્હ

     
📜દૈનિક રેહ્માં વચન✝️
🌈કલ્યાણ નું ચિન્હ🌈

   ,મારા કલ્યાણનું ચિહ્ન મને દેખાડો કે, મારા દ્વેષીઓ તે જોઈને લજવાય; કેમ કે, હે યહોવા, તમે મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે.
ગીતશાસ્‍ત્ર 86:17 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.86.17.GUJOVBSI

            આ જગત માં જયારે આપણું સારું કે ભલું થઈ રહ્યું હોય છે ત્યારે શત્રુઓ પણ તે જોઈ શકતા નથી કે સાંખી શકતા નથી,
            જ્યારે યાકુબ બહુ વૃદ્ધિ પામે છે ત્યારે,તેના સસરા લાબાનની દ્રષ્ટિ તેની આગળ ભૂંડી થાય છે. ઉત્પતિ ૩૧:૨ 
            જ્યારે ઇસહાક ગેરારમાં ઇબ્રાહિમે ખોદેલા કૂવાઓ જે પૂરી દેવામાં આવ્યા હતા તે ખોદી કાઢે છે ત્યારે ઇસહાક નું કલ્યાણ ગેરારનાં ભરવાડો જોઈ શકતા નથી.
            નિર્ગમન ૧:૯ પ્રમાણે ઇઝરાયેલ પુત્રો ઝાઝા અને બળવાન થાય છે ત્યારે ફારુન તથા મિસરીઓ તેઓનું કલ્યાણ જોઈ શકતા નથી.
            જ્યારે જ્યારે દેવનાં લોકો નું સારું થાય છે ત્યારે શત્રુઓ તેમજ ઘણા બધા સગાઓ પણ તે કલ્યાણ જોઈ શકતા નથી.જો પ્રભુ પોતાના લોકોને આશીર્વાદ આપે છે તેઓનું ધન વધે છે,શાંતિ નો રાજકુમાર ઈસુ જ્યારે તેઓના કુટુંબો માં શાંતિ અને આનંદ આપે છે,તેઓ સમાજ માં સુકિર્તી પામે છે ત્યારે શત્રુઓ તે જોઈ શકતા નથી.અને તેઓના હર્દય માં ઈર્ષા ઉત્પન્ન થાય છે તેઓ દેવનાં લોકો ની વિરૃદ્ધ ઘણી બધી બાબતો કરાવે છે અને મેલી વિદ્યા,તેમજ ખોટી અફવાઓ તેમજ ઘણી બધી બાબતો તેઓ કરાવે છે અને જેવી રીતે ફારુન ચતુરાઈ થી ઇઝરાયેલીઓ પ્રત્યે વર્તે છે તેમજ તેઓ પણ વર્તે છે.
            પરંતુ જ્યારે દેવ આપણું કલ્યાણ કરે છે ત્યારે તેમને આપણું કલ્યાણ કરતા કોઈ રોકી શકવાનું નથી.કોઈ મઘ્યઆકાશ નો શત્રુ કે કોઈ જગત નો શત્રુ કે કોઈ પણ બીજો શત્રુ દેવનાં લોકો નાં કલ્યાણ ને રોકી શકતું નથી.

કેમકે દેવ આપણાં શત્રુઓના દેખતા આપણે માટે મિષ્ટાન તૈયાર કરે છે.અને પવિત્ર દેવ ખ્રિસ્ત ઈસુ જ્યારે આપણું કલ્યાણ કરવાનું ચાહે છે ત્યારે તેનાં આ કાર્ય ને કોઈ શત્રુ રોકી શકવાનો નથી.

મારા શત્રુઓના દેખતાં તમે મારે માટે ભાણું તૈયાર કરો છો; તમે મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઊભરાઈ જાય છે.
ગીતશાસ્‍ત્ર 23:5 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.23.5.GUJOVBSI
લાગુ કરણ :
         દેવ ખ્રિસ્ત જે આપનું કલ્યાણ કરે છે ફકત તેમની તરફ જ લક્ષ રાખીએ ,નહિ કે આપના શત્રુ ઓ તરફ

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...