Sunday, 7 August 2022
મનનું ઝેર - કડવાશ
Tuesday, 2 August 2022
ઉન્નતિ ને સારું આવશ્યક શબ્દો
*સ્પિરિચ્યુઅલ ઈગ્નાઇટ બાઈબલ મનન*
તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે *ઉન્નતિને માટે આવશ્યક* હોય તે જ નીકળે કે, તેથી *સાંભળનારાઓનું કલ્યાણ* થાય. વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર *ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો,*
એફેસીઓને પત્ર 4:29-30
આ અદભુત કલમો આપણને ચેતવણી આપે છે,વારંવાર આપણાં મુખો માંથી મલિન વચનો નીકળતા હોય છે,
*મલિન વચનો એટલે મલિન શબ્દો :*
જેવા કે ,સર્વ પ્રકારની કડવાશ
ક્રોધ,કોપ,ઘોંઘાટ,તથા નિંદા તમેજ ખુન્નસ જે હંમેશા સામેના વ્યક્તિ ને તોડી નાખે છે.નુકસાનકારક છે. (એફસીઓ ને પત્ર ૪:૩૧)
મલિન વચનો હંમેશા પવિત્ર આત્મા ને ખિન્ન કરે છે.
*ઉન્નતિ ને સારું આવશ્યક હોય તેવા વચનો*
ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન (ફિલિપી ૨:૧)
પ્રેમનો કંઈ દિલાસો (ફિલિપી ૨:૧)
દેવનું વચન હંમેશાં બીજા વ્યક્તિઓ ને ઉત્તેજન આપે છે.
દિલાસો આપે છે,
સાંભળનારા નું કલ્યાણ થાય છે.
તેથી હંમેશા આપણે પોતાના મુખનાં શબ્દો વિશે પરીક્ષા કરવી જોઈએ.
*વિચાર કરવાનો પ્રશ્ન* :શું આજે મારાં મુખ માંથી કેવા શબ્દો નીકળે છે?
શું તે શબ્દો ઉન્નતિકારક છે કે નુકશાનકારક?
શું મારા શબ્દો જીવનને બાંધનારા છે કે તોડનારા?
Sunday, 10 July 2022
દેવનાં સર્વોચ્ચ વિચારો
*દેવનાં સર્વોચ્ચ વિચારો*
કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવા કહે છે. “જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.
યશાયા 55:8-9
ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ ; વિચારો નું જન્મ સ્થાન એ તો હૃદય છે,વિચારો હૃદય એટલે કે મન માંથી ઉદભવે છે. મનુષ્ય નું હૃદય સારું વિચારવાને સક્ષમ નથી,વિચાર દ્વારા હૃદય માં શું છે તે બહાર આવે છે અને શબ્દ દ્વારા તે બીજા વ્યકતિ સુધી પહોંચે છે.
બાઈબલ ની એક એક કલમો એ દેવનો એક એક વિચાર છે.આ વિચારો અતિ ઉચ્ચ કક્ષાનાં છે.એ મનુષ્ય નાં વિચારો કરતા અતિ શ્રેષ્ઠ છે.
આ વિચારો મનુષ્ય નાં દરેક ક્ષેત્રને માટે માર્ગદર્શન આપે છે.વ્યક્તિગત જીવન,કૌટુંબિક જીવન,સામાજિક જીવન ,આત્મિક જીવન જયારે જયારે આપણે દેવનાં વિચારો પર આધારિત થઈએ છીએ,અને એ વિચારો એટલે કે દેવનાં વચન ને આપણાં જીવનમાં વણી લઈએ છીએ.,હૃદયમાં ભરી લઈએ છીએ..ત્યારે તે વિચારો દ્વારા આપને દરેક ક્ષેત્ર માં સફળ થઈ શકીએ છીએ.
લાગુકરણ : દેવનું નિયમ શાસ્ત્ર એટલે તેમના પવિત્ર વચનો ની એક એક કલમો એ દેવનાં અતિ ઉત્તમ વિચારો છે.એ વિચારો ને આપણાં મનો માં ભરી લઈએ અને એ પ્રમાણે નું જીવન જીવીએ..
Monday, 7 March 2022
જાગ જાગ હૈ દબોરાહ
Thursday, 3 February 2022
*વચન નો કૂવો ગાળી કાઢીએ*
Wednesday, 2 February 2022
*આત્મિક સંગતિનો કૂવો ગાળી કાઢીએ*
Saturday, 29 January 2022
ધણી ની ઈચ્છા એટલે દૈવી બુલાહટ
જે દાસ પોતાના *ધણીની ઇચ્છા* જાણ્યા છતાં પોતે તૈયાર રહ્યો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
લૂક 12:47
ધણી ની ઈચ્છા એટલે તેડું અને દર્શન
ઈશ્વર પિતા ઘણા બધા લોકો ને તેડું એટલે બુલાહટ આપે છે ,ઘણા તેને સમજી શકે છે અને ઘણા સમજી શકતા નથી.
તેડા ને અલગ અલગ રીતે જે તે વ્યક્તિ ની આગળ પ્રગટ કરવા માં આવે છે. મુસા ને ઇઝરાયેલી પ્રજા ને મિસરની ગુલામી માંથી બહાર કાઢી લાવવા નું તેડું હતું.
યુના ને નિન્વેહ જઈને સુવાર્તા પ્રગટ કરવાનું તેડું હતું.
મુસા પોતાનાં તેડા ને બીજા કોઈ ને આપી દેવા કહે છે.
*મુસાનું બહાનું :-*
પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, "હે પ્રભુ યહોવા, હું સાચું કહું છું કે, હું કોઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાની ક્ષમતા ધરાવતો નથી. તમારી સાથે વાતચીત થઈ તે પછી પણ હું બોલવામાં મંદ છું. મારી જીભ બરાબર ચાલતી નથી."
નિર્ગમન 4:10
*મુસા દ્વારા તેડાનો નકાર*
છતાં મૂસાએ કહ્યું, "હે પ્રભુ યહોવા, કૃપા કરીને મારા સિવાય બીજા કોઈને મોકલો, મને નહિ."
નિર્ગમન 4:13
*દેવનો ક્રોધ*
અને યહોવાનો ક્રોધ મૂસા ઉપર સળગી ઊઠયો, ને તેમણે કહ્યું, “હારુન લેવી તારો ભાઈ છે કે નહિ? હું જાણું છું કે તે બોલવામાં હોશિયાર છે. અને વળી જો, તે તને મળવા સામો આવે છે. તે તને જોઈને પોતાના મનમાં હર્ષ પામશે.
નિર્ગમન 4:14
તેડા નો નકાર કરવાથી અને બુલાહટ નો જવાબ ન આપવાથી પ્રભુનો ક્રોધ મુસા પર સળગી ઉઠે છે.
અલગ અલગ રીતે પ્રભુ પોતાના લોકો ને મોટા મહાન દેવનાં કાર્યો પ્રગટ કરવાને તેડું આપે છે.પરંતુ તેમાં ઘણા બધા લોકો તે તેડા ને સમજી શકતા નથી.અને સમજી શકે છે તો તેનો ઉત્તર આપતા નથી.દૈવી બુલાહટ દરેક લોકો માટે નથી હોતી,દૈવી બુલાહટ એટલે મહાન દેવનાં કાર્ય ને પૂરું કરવા માટે ની નિમણુંક ,દૈવી બુલાહટ એટલે પિતાની સિદ્ધ ઈચ્છા પૂરી કરવા માટે ની નિમણૂક
વિચાર કરીએ શું આજે આપણે પિતાની સિદ્ધ ઈચ્છા આપણાં વ્યક્તિગત જીવનો વિશે જાણીએ છીએ?
પિતાની સિદ્ધ ઈચ્છા જાણ્યા છતાં શું આપણે તેના તેડાનો નકાર તો નથી કરી રહ્યા ને ?
જો આપણે એમ નથી કરી રહ્યા તો ઘણો માર ખાવાનો વારો આવી શકે છે.અને સ્વર્ગીય પિતાનાં ક્રોધ નો ભોગ બનવું ખૂબ અઘરું છે.કેમકે ન્યાયી દેવનાં ન્યાયાસન આગળ આપણે ઉભા રહેવાનું છે..
આજે જ વિચાર કરીએ....
Friday, 14 January 2022
મંડળી ની તૈયારી
હે દીકરી, સાંભળ, વિચાર કર, અને કાન ધર; વળી તારા લોકને તથા તારા પિતાના ઘરને ભૂલી જા.
ગીતશાસ્ત્ર 45:10
આ કલમ સીધે સીધી મંડળી ને સુસંગત છે,જેવી રીતે લગ્ન થયેલી સ્ત્રી પોતના પિતા નાં ઘર ને ભૂલી જાય છે,તે વી જ રીતે આ વચન મંડળી જે ખ્રિસ્ત ની કન્યા છે તેને કહે છે...
*કન્યા નું પિયર :* આ જગત એ કન્યા નું પિયર છે,આ પૃથ્વી એ કન્યા એટલે મંડળી નું પિયર છે.એટલે પિતાનું ઘર છે,આ પૃથ્વી પર જ મંડળી નો જન્મ થયો છે..એ *પચાસમાંના દિવસે મંડળીનો જન્મ થયો*,અને ટૂંક સમય માં મંડળીનો વર એટલે ખ્રિસ્ત ઈસુ ,પોતાની કન્યા લેવા આવી રહ્યા છે.
આપણે ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરનાર પોતે જ મંડળી છીએ.આપણે દેવની કન્યા છીએ.
જો મંડળી હજી પણ જગતનાં રીતિ રિવાજો માં ચાલશે, જગતની સાથે વ્યહવાર રાખશે,જગતની સાથે મિત્રતા રાખશે,જગત ની સાથે સમાધાન રાખશે તો ગગન ગમન ના સમયે તેને પડતી મુકાશે.
જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે. કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા; અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
માથ્થી 24:37-39
જોજો નૂહ ના સમય જેવું ન થાય,આ સાવધાન થવાનો સમય છે.જો આજે સાવધાન ન થઈશું તો *ખ્રિસ્તનાં આગમન* માટે કેવી રીતે તૈયાર થઈશું?
*ઓ દીકરી,(એટલે મંડળી)*
*૧. સાંભળ : શું સાંભળવાનું છે ?* પવિત્ર-આત્મા મંડળી ને જે કહે છે તે સાંભળ
*૨. વિચાર કર : શું વિચાર કરવાનો છે?* પોતાના આત્મિક જીવન ની તૈયારી વિશે વિચાર કર
*૩. કાન ધર:શું કાન ધરવાનું છે?* દેવનાં વચનો ને કાને ઘરવાના છે..
*કન્યાનું સાસરું:*
સ્વર્ગીય ઘર,ખ્રિસ્ત જે મંડળી ને માટે તૈયાર કરવા માટે ગયા છે તે મંડળીનું સાસરું છે.જો મંડળી એ સ્વર્ગીય રાજ મહેલ તરફ પોતાની દ્રષ્ટિ રાખશે તો તે આગમન ને માટે રેડી થઈ શકશે.
*ખ્રિસ્ત વરરાજા નું આગમન*
જો આ પ્રમાણે દીકરી કરશે તો તેને એટલે કન્યા (મંડળી ને) તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ *ખ્રિસ્ત ઈસુ વરરાજા નો સ્વર્ગીય રાજમહેલ* રાજમહેલમાં પ્રવેશ કરશે.
ગીતશાસ્ત્ર 45:15
Monday, 10 January 2022
૨૦૨૨ માં પ્રતિકૂળ સંજોગો માં પણ તત્પર રહીએ*
अनुत्तरित प्रार्थनाएं
*अनुत्तरित प्रार्थनाएं* यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...
-
क्या तुम होना चाहते हो हिम से सफेद लहू में शक्ति हैं (2) क्या तुम चाहते छुटकारा और क्षमा यीशु के लहू में शक्ति है। शक्ति है, है, अद्भुत शक्त...
-
*अनुत्तरित प्रार्थनाएं* यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...
-
तुरही गूंजने का समय आ गया, प्रार्थना में जागृत रहो ऐ कलीसिया सीधे हो कर आपने सर उठाओ छुटकारे का दिन करीब आ गया* प्रेमी येशु जल्दी महिमा में...