Thursday, 26 December 2019

मुजे भर देना मुझे भर देना

मुजे भर देना मुझे भर देना 
मुझे भरकर ही भेजना
तेरी आत्मा के अभिषेक से मुझे भर कर ही भेजना

१. ऊँचा शक्ति ,ऊँचा दर्शन,ऊँचा वरदान दे देना
२. मेरे यीशु मेरे स्वामी ,तेरी अग्नि से भर देना
३.और भी गहरा डूबना चाहु, आत्मा की तेरी गहराई में
४. तेरी बुलाहट पूरी करने,शक्ति मुझको दे देना
५. खेत की भूमि सुखी पड़ी है,आत्मा की ओस बरसा देना


મુજે ભર દેના , મુજે ભર દેના
                                      મુજે ભર કર હી ભેજના
                             તેરી આત્મા કે અભિષેક સે
                                      મુજે ભરકર હી ભેજના
                            
                   ઊંચા શક્તિ, ઊંચા દર્શન, ઊંચા વરદાન દે દેના
                                      મુજે ભર દેના........
                   મેરે યીશુ મેરે સ્વામી, તેરી અગ્નિ સે ભર દેના
                                      મુજે ભર દેના....
                   ઔર ભી ગહેરા ડુબના ચાહું
                                      આત્મા કી તેરી ગહેરાઈ મેં ......
                   તેરી બુલાહટ પુરી કરને,                   
                                      શક્તિ મુજકો દે દેના........
                   ખેત કી ભૂમિ સુખી પડી હૈ
                                      આત્મા કી ઓસ બરસા દેના.......

Saturday, 30 November 2019

क्या तुम होना चाहते हो हिम से सफेद

क्या तुम होना चाहते हो हिम से सफेद
लहू में शक्ति हैं (2)
क्या तुम चाहते छुटकारा और क्षमा
यीशु के लहू में शक्ति है।

शक्ति है, है, अद्भुत शक्ति है, लहू में, लहू में
शक्ति है, है, अद्भुत शक्ति है, यीशु के लहू में है।

2. क्या तुम चाहते चंगाई और खुशी
यीशु के नाम से मिलती खुशी
क्या तुम चाहते हो आत्मा का अभिषेक
यीशु के लहू में शक्ति है।

क्या तुम चाहते हो आशीषित जीवन ।
यीशु को अभी दो अपना मन
क्या तुम चाहते हो सामर्थ और विजय
यीशु के लहू में शक्ति है।।

राजाधिराज तेरे उपकार को

1.

राजाधिराज तेरे उपकार को
कभी न भुलुंगा
जब से तूने चुना हुआ तेरा आराधक
सच्ची आराधना लायी दिल में अभिषेक

तहे दिल से प्रशंसा निरंतर करुंगा
1. पिछले दिनो से लेकर

एबन एजर बना तू
जीवन के हर कदम पर
रोही बना हैं तू

तेरी करुणा सदा की हैं---3
2. ज़रूरतो के समय पर

यीरे बना हैं तू
बैचेनियां होने पर
शालोम बना हैं तू

तेरी करुणा सदा की हैं-
3. निरोग जीवन दिलाने

राफा बना हैं तू
निर्बल परिस्थिति में
निस्सि बना हैं तू
तेरी करुणा सदा की हैं---3

Thursday, 21 November 2019

इग्नाईट युथ ग्रुप की बुलाहट


સ્પિરિચ્યુઅલ ઇગ્નાઈટ યુથ આભાર સ્તુતિ



યહોવાએ એ કર્યું છે,માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ;અને તમારું નામ ઉત્તમ છે એવું હું તમારા સંતોની સમક્ષ પ્રગટ કરીશ. – ગીતશાસ્ત્ર ૫૨:૯
ખ્રિસ્ત ઇસુમાં પ્રેમી સલામ;
        ખ્રિસ્તમાં વહાલા ભાઈ-બહેનો,જુવાનો,વડીલો,પાળક સાહેબો,ખ્રિસ્ત ઇસુમાં જણાવતા આનંદ થાય છે કે સ્પિરિચુઅલ ઇગ્નાઈટ યુથ આજે તા.૧૮-નવેમ્બર-૨૦૧૯ નાં દિને પોતાનું એક વર્ષ પૂરું કરી રહ્યું છે,તેને માટે ખાસ આપણા ત્રિએક ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ,ગત વર્ષથી લઇને આજ સુધી દેવના રાજ્યની વૃદ્ધિને માટે ખ્રિસ્ત ઇસુની કૃપા દ્વારા તેમજ પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા અલગ અલગ આત્મિક જાગૃતિને લગતા પ્રયત્નો કરી શક્યા છે અને ખાસ જુવાનોનાં આત્મિક ઉત્કર્ષને માટે પ્રયત્નો કરી શક્યા છે માટે પરમેશ્વર પિતાનો અતિ ઘણો આભાર માનીએ છીએ.સ્પિરિચુઅલ ઇગ્નાઈટ યુથ વિષે થોડી માહિતી આપવા માંગીએ છીએ.
સ્પિરિચુઅલ ઇગ્નાઇટ યુથ નો ઉદભવ :
        જુવાનોના આત્મિક ઉત્કર્ષને માટે બેથી ત્રણ મિત્રોનાં હર્દયમાં દેવે એક વિચાર મુક્યો,અને તે આત્મિક મિત્રોએ એ વિચાર બીજા જુવાનોને રજુ કર્યો અને એ વિચાર દેવ તરફથી જ હોવાને લીધે એ વિષય પર વિચાર કરતા પહેલા બેડકુવા મુકામે જુન ૨૦૧૮ ના રવિવારોથી સાંજે જુવાનોની પ્રાર્થના સંગતની શરૂઆત થઇ અને પ્રથમ મીટીંગમાં જ ૧૧ જેટલા જુવાનોને પવિત્ર આત્માનું દાન મળ્યું. અને આમ સતત નવેમ્બર મહિના સુધી નિયમિત પ્રાર્થના સંગત મળતી રહી અને ગત વર્ષ ૧૭ અને ૧૮ નવેમ્બર ૨૦૧૮ ના રોજ બેડકુવા મુકામે જુવાનો માટેનો એક સેમીનાર રાખવામાં આવ્યો તેમાં વક્તા મેથ્યુ થોમસ,દિલ્હી ને આમંત્રણ આપવામાં આવ્યું અને દેવે આ મીટીંગોમાં અદભૂત કાર્ય કર્યું અને તેમનો મહિમા થયો.તા.૧૮ નવેમ્બર ૨૦૧૮,નાં રોજ સાંજની મીટીંગમાં પ્રભુના સેવક દ્વારા ઈશ્વરે તેમના સેવક મેથ્યુ થોમસ દ્વારા આ યુથ ટીમને માટે પ્રબોધવાણી કરી.અને એ પ્રબોધવાણી માં દેવે આ ગ્રુપ માટેનું તેડું તેમજ દર્શન જાહેર કર્યું.
સ્પિરિચુઅલ ઇગ્નાઇટ યુથનું દર્શન :
       પ્રભુનાં અભિષિક્ત સેવક દ્વારા થયેલી પ્રબોધવાણીમાં દેવે સ્પષ્ટ રીતે આ તેડાયેલા જુવાનો માટેનું પોતાનું દર્શન જાહેર કર્યું.અને ગ્રુપને ચાર દર્શનો-હેતુ આપ્યા,એમાં ૧.દેશના ઉદ્ધારને માટે ૨.લોકોનાં છુટકારાને માટે ૩.મંડળીમાં સ્થિર ઊભા રહી ટેકારૂપ બની આત્મિક નેતાગીરી પૂરી પાડવા  માટે ૪.જુવાનોનાં છુટકારાને માટે આમ ગ્રુપનો ખાસ હેતુ  આપણી સ્થાનિક મંડળીઓ નાં જુવાનોને પવિત્ર આત્માની એક્યતા માં લાવીને પોતપોતાની મંડળીમાં એક મજબુત આત્મિક નેતાગીરી પૂરી પાડી  શકે તે માટે તૈયાર કરવા તેમજ તેઓ દેશનાં ઉદ્ધાર,લોકોના છુટકારાને માટે તેમજ મંડળીને ટેકો આપવા માટે તૈયાર થાય તેવી રીતે તેઓના જીવનોનું ઘડતર કરવાનો છે.
તેમજ આ યુગની અંદર જેની અંદર પરમેશ્વરનો પવિત્ર આત્મા હોય તેવા જુવાનોની પેઢી તૈયાર કરી,દેવને માટે ઉપયોગી એવું પાત્ર તૈયાર કરી,શૈતાનના સામ્રાજ્યને તોડી પાડવાનો અને દેવનું રાજ્ય સ્થાપવાનો ખાસ હેતુ નું દર્શન ઇગ્નાઈટ યુથ  પહોચવાનો પ્રયત્ન કરી રહ્યું છે.આ સઘળી બાબતોમાં આપણા ત્રિએક પરમેશ્વરને માન અને મહિમા હોજો.

Thursday, 28 February 2019

प्रभुकी प्रजाके समान रहे कर प्रभु के गवाह ठहरने के लिए

🔥સ્પિરિચ્યુઅલ ઇગ્નાઇટ  મનન🔥

प्रभुकी प्रजाके समान रहे कर
प्रभु के गवाह ठहरने के लिए
प्रभु इन जवानको युवतीयो को सहायता करे

💐 प्रभुकी प्रजा कैसे बने ? ,💐

जो प्रभु येशु मसीह पर विश्वास करता है और उसको अपना जीवन समर्पित करता है वो उसकी प्रजा बन जाता है । पुराने नियम में सिर्फ इज़राइल को ही परमेश्वर की प्रजा कहा गया था परन्तु प्रभु येशु मसीह के आने के बाद जो कोई उसके ऊपर विश्वास करे उस हरेक व्यक्ति को उसकी पवित्र प्रजा बनने का सौभाग्य प्राप्त होता  है ।

रोमियो 9:26
[26]और ऐसा होगा कि जिस जगह में उन से यह कहा गया था, कि तुम मेरी प्रजा नहीं हो, उसी जगह वे जीवते परमेश्वर की सन्तान कहलाएंगे।

लैव्यवस्था 26:12
[12]और मैं तुम्हारे मध्य चला फिरा करूंगा, और तुम्हारा परमेश्वर बना रहूंगा, और तुम मेरी प्रजा बने रहोगे।

व्यवस्थाविवरण 7:6
[6]क्योंकि तू अपने परमेश्वर यहोवा की पवित्र प्रजा है; यहोवा ने पृथ्वी भर के सब देशों के लोगों में से तुझ को चुन लिया है कि तू उसकी प्रजा और निज धन ठहरे।

💐 प्रभु की प्रजा का क्या कर्तव्य है ? 💐

👍१. परमेश्वर का गुणानुवाद करना उसकी महिमा और स्तुति करना ।
यशायाह 43:21
[21]इस प्रजा को मैं ने अपने लिये बनाया है कि वे मेरा गुणानुवाद करें॥

👍२.  पृथ्वी के छोर तक येशु मसीह का गवाह ठहरना
प्रेरितों के काम 1:8
[8]परन्तु जब पवित्र आत्मा तुम पर आएगा तब तुम सामर्थ पाओगे; और यरूशलेम और सारे यहूदिया और सामरिया में, और पृथ्वी की छोर तक मेरे गवाह होगे।

Wednesday, 27 February 2019

ઇશ્વરીય તેડું :- (શિષ્યો નું તેડું)


God's Calling  to  Ignite Group

-: ઇશ્વરીય તેડું :- (શિષ્યો નું તેડું) (ઘટના)

તેમણે કહ્યું કે, 'મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા
તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.' આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ. તે માટે ઈસુએ બાર [શિષ્યો] ને પૂછ્યું કે, 'શું તમે પણ જતા રહેવા ચાહો છો?'
યોહાન 6:65-67

તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ.
પિતરનો બીજો પત્ર 1:10

કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.
રોમનોને પત્ર 11:29

(ઇબ્રાહિમ નું તેડું) (ઘટના) ઇબ્રાહિમ જે જગ્યા વારસામાં પામવાનો હતો, તેમાં જવાને તેડું પામીને આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યાં છતાં વિશ્વાસથી તે રવાના થયો.
હિબ્રૂઓને પત્ર 11:8

-: Calling Of Ignite Group :-

Date :- 18th November 2018

યાદ કરો એ તારીખ,યાદ કરો એ દિવસ
યાદ કરો એ સાંજ,જ્યારે તમને દેવની અદભુત સેવાને માટે અભિષેક કરવામાં આવ્યા.
યાદ કરો એ દિવસ જ્યારે દેવના અભિશિક્ત સેવક દ્વારા આપણા ગ્રુપ માટે પ્રાર્થના કરવામાં આવી,ભવિષ્યવાણી કરવામાં આવી ...

-: આત્મિક ઐક્ય :- (કરીંથીની મંડળી નો પ્રશ્ન)
મેં તો માત્ર રોપ્યું, અને આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે તેને ઉગાવ્યું અને વૃદ્ધિ આપી. માટે સિંચનાર પણ કોઈ નથી; અને રોપનાર કોઈ નથી; વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ [સર્વસ્વ] છે.
કરિંથીઓને પહેલોપત્ર 3:6-7

(ખ્રિસ્તનું શરીર અને તેના અંગો )
કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.
કરિંથીઓને પહેલોપત્ર 12:12

પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.
ક્લોસ્સીઓને પત્ર 3:14

તોપણ શાસ્ત્રવચન પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, 'તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ,' તે નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો;
યાકૂબનો પત્ર 2:8

તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.
પિતરનો પહેલો પત્ર 1:22

જે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે, તે અજવાળામાં રહે છે અને તેનામાં કશું ઠોકરરૂપ નથી.
યોહાનનો પહેલો પત્ર 2:10

મુસીબતો થી ભર્યો છે રાહ પ્રભુ,

મુસીબતો થી ભર્યો છે રાહ પ્રભુ,
આંગળી ઝાલીને ચલાવો મુજને
આંગળી ઝાલીને ચલાવો મુજને (૨)
મુસીબતો થી ભર્યો છે રાહ પ્રભુ,
આંગળી ઝાલીને ચલાવો મુજને

જ્યારે હું ઘોર અંધકાર માં ચાલુ
તમે મારી સંગ રહેજો ઈસુ,
તારી લાકડી ને તારી છડીથી શાંતિ મને દેતા રહેજો (૨)
આંગળી ઝાલીને ચલાવો મુજને,
આંગળી ઝાલીને ચલાવો મુજને,
મુસીબતો થી ભર્યો છે રાહ પ્રભુ,
આંગળી ઝાલીને ચલાવો મુજને,

મુસીબતો ને પાર કરી,સાંકડા માર્ગે હું ચાલુ (૨)
મુસીબતો ને પાર કરતા ,સ્વર્ગીય મુગટ પ્રાપ્ત થશે જરૂર
આંગળી ઝાલીને ચલાવો મુજને,
આંગળી ઝાલીને ચલાવો મુજને,
મુસીબતો થી ભર્યો છે રાહ પ્રભુ,
આંગળી ઝાલીને ચલાવો મુજને,

Tuesday, 26 February 2019

તારા પ્રેમ ને મેં ચાખી લીધો

तेरे प्रेम को मेने चख ही लिया ,
तेरे प्रेम को मेने जान लिया
तेरे प्रेम की कोई सिमा नहीं,
तेरे प्रेम की कोई व्याख्या नहीं

तेरे प्रेम से तूने पुत्र दिया,
मेरे खातिर तूने उसे अर्पन किया
तेरे प्रेम की कोई सिमा नहीं,
तेरे प्रेम की कोई व्याख्या नहीं

मुज मृतक को तूने जिन्दा किया,
अनंतजीवन का तूने वारिस किया
तेरे प्रेम की कोई सिमा नहीं,
तेरे प्रेम की कोई व्याख्या नहीं

यीशु प्रेम करू,तुजसे प्रेम करू
मेरा जो हे तुजे ,वो अर्पण करू
तेरे प्रेम के खातिर, सबकुछ करू
मेरा जीवन तुजे ,समर्पण करू

તારા પ્રેમ ને મેં ચાખી લીધો ( એફેસીઓ ને પત્ર ૩:૧૮ )
તારા પ્રેમ ને મેં જોઈ લીધો
તારા પ્રેમની કોઈ સીમા નથી
તારા પ્રેમની કોઈ વ્યાખ્યા નથી

તારા પ્રેમથી તારો દીકરો દીધો (યોહાન ૩:૧૬)
મુજ કાજ તેને અર્પી દીધો
તારા પ્રેમની કોઈ સીમા નથી
તારા પ્રેમની કોઈ વ્યાખ્યા નથી

મુજ મુએલા ને તે સજીવન કીધો (એફેસીઓ ને પત્ર ૨:૧,૫)
અનંતજીવન નો મુજને વારસ કીધો
તારા પ્રેમની કોઈ સીમા નથી
તારા પ્રેમની કોઈ વ્યાખ્યા નથી

ઈસુ પ્રેમ કરું,તને પ્રેમ કરું
મુજ સઘળું તને ,અર્પણ કરું
તારા પ્રેમ કાજ હું સઘળું કરું
મુજ જીવન તને સમર્પણ કરું

પવિત્ર આત્મા નું ઐક્ય

🔥સ્પિરિચ્યુઅલ ઇગ્નાઇટ બાઇબલ મનન🔥

"પવિત્ર આત્મા નું ઐક્ય"
એક કરતા બે ભલા ,કેમકે તેની મહેનત નું ફળ તેમને સારું મળે છે,એકલા માણસ ને હર કોઈ હરાવે ,પણ બે તેની સામાં થઈ શકે,ત્રેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી.
- સભાશિક્ષક ૪:૯,૧૨

     ઉપર ની કલમ આપણને શું સમજાવે છે? ખ્રિસ્તમાં આત્મિક ઐક્ય , જ્યારે આપણે જોઈએ છીએ કે,સગડી માં મુકેલા અંગારાઓ ને અલગ અલગ કરી દેવામાં આવે છે ત્યારે તેઓ પોતાની પ્રજ્વલન ક્ષમતા ધીરે ધીરે ગુમાવી દે છે.પણ જયારે તેઓને ભેગા કરી દેવામાં આવે ત્યારે તેઓ વધારે સળગવા માંડે છે, અને આમ સાથે મળીને પોતાની પ્રજ્વલન ક્ષમતા વધારી દે છે.
"ત્રેવડી વણેલી દોરી" : દેવ,આપણે પોતે,આપણાં સાથી મિત્રો
    વહાલાંઓ આપણે જયારે દેવનું કામ લઇ ને બેઠા છે ત્યારે ,શૈતાન કંઈ એમજ બેસી ને જોયા નથી કરવાનો ,શૈતાનની યોજનાઓ એવી છે કે ,"ભાગલા પાડો અને રાજ કરો",જ્યારે જ્યારે દેવનું કામ આપણે હાથમાં લઈએ છીએ ત્યારે ત્યારે શૈતાન પણ પોતાનું કામ પુરજોશમાં ચાલુ કરી દે છે. ત્યારે આપણી આત્મિક દ્રષ્ટિ ખોલીને આપણે શૈતાનની યોજનાઓ ને સમજી જઇયે તો બહુ સારી વાત છે.
    મહત્વ ની વાત : સગડીમાં ના અંગારાઓ ને એકઠા કરવાનું કામ તો પવિત્ર આત્માનું છે, જે આત્માની દોરવણી પર ચાલે છે તેજ આત્માની ઐક્યતા માં આવી શકે છે, જો આત્માની ઐક્યતા માં આવવું હોય તો દરેક અંગારાઓ એ ઈશ્વર સાથેનાં વ્યક્તિગત સંબંધમાં આવવું પડશે અને સાથે જાતે પણ ઈશ્વર( જે ભસ્મ કરી નાખનાર અગ્નિ  છે) તેની સાથે જોડાઈને સળગવુ પડશે.
    આવનાર દિવસોમાં આત્મિક જાગૃતિ ની જે સભા રાખવામાં આવી છે જેના ગણતરી ના દિવસો બાકી છે ,ત્યારે ઈશ્વરનું વચન આપણને કહી રહ્યું છે કે,
    "હવે ભાઈઓ ,હું આપણાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે વિનંતી કરીને કહું છું કે,તમે એક સરખી વાત કરો ,અને તમારામાં પક્ષ પડવા ન દેતા,એકજ મનનાં તથા એકજ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો." - ૧લો કરિનથી ૧:૧૦
    જેઓ આત્મિક પરિપક્વ છે તેઓ માટે
  "હવે અશક્તો ની નિર્બળતાને સહન કરવી ,અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું,એ આપણ શક્તિમાનો ની ફરજ છે."- રોમનોને પત્ર ૧૫:૧
   તમે એક ચિત્તે ,તથા એક અવાજે દેવનો ,એટલે આપના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો મહિમા પ્રગટ કરો,એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને માહોમાહે એકજ મનના થાઓ ,એવું વરદાન ધીરજ તથા દિલાસાનો દાતાર દેવ તમને આપો. રોમન ૧૫:૫,૬

યુથ ગ્રુપ ના દરેક કામો તેમજ સેવાઓ માટે :

ઈશ્વરનું વચન એવું કહે છે કે, ૨જો તિમોથી ૨:૨૦,૨૧
પણ મોટા ઘરમાં (જે ઘર દેવનું છે) કેવળ સોના રૂપાના જ નહીં ,પણ લાકડાનાં તથા માટીના પાત્રો પણ હોય છે ;તેઓ માંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે,એ માટે જો કોઈ પાછલાંથી પોતાને દૂર  રાખીને શુદ્ધ રહે,તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું ,સ્વામી ને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.

     આવનારી મિટિંગ ને માટે દરેક ને જે જે સેવાઓ સોંપવામાં આવે તે સેવા ખંતથી કરવી,કેમકે દરેક સેવા એ દેવની સેવા છે માટે કોઈ વ્યક્તિએ એવું વિચારવું નહીં કે મને  હલકી સેવા આપી અને ઉત્તમ સેવા ન આપી.આ મિટિંગ આવે તે પહેલા આપણે દરેકે પોતાની જાતને તૈયાર કરવી પડશે. જેથી આપનાં સ્વામી ઈસુને સારું ઉપયોગી પાત્ર આપણે બની શકીયે.

दुनिया की आराधना करनेवाले नहीँ पैसे के पीछे भागनेवाले नहीं

🔥સ્પિરિચ્યુઅલ ઇગ્નાઇટ બાઇબલ મનન🔥

दुनिया की आराधना करनेवाले नहीँ
पैसे के पीछे भागनेवाले नहीं

કેમ કે દેમાસ હાલનાં જગત પર પ્રેમ કરીને મને પડતો મૂકીને, ને થેસ્સાલોનિકામાં ચાલ્યો ગયો છે;
તિમોથીને બીજો પત્ર 4:10

💐 દેમાસ નું દેવની સેવા માટેનું તેડું :-

સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂકે સર્વ તને ક્ષેમકુશળ કહે છે.
ફિલેમોનને પત્ર 1:24

પાઉલ જ્યારે ફિલમોન ને પત્ર લખે છે ત્યારે ,દેમાસ વિશે કહે છે કે તે તેઓનો સેવાકાર્ય કરવા માટે સાથી હતો.અને દેમાસ ને પણ દેવની સેવા માટે નું તેડું મળ્યું હતું.

💐 દેમાસ નો દેવની સેવાનાં તેડા નો નકાર :

પણ દેમાસ વિશે પછીથી પાઉલ એવી સાક્ષી આપે છે કે તે દેવે આપેલું સેવાકાર્ય છોડીને જતો રહે છે.

દેમાસ ની પીછેહટ નું એ કારણ કે તે હાલ ના જગત પર પ્રેમ રાખીને જતો રહે છે.

હાલના જગત પર પ્રેમ એટલે શું ?:

દૈનિક જીવન માં ઈશ્વરને સ્થાન,સમય ન આપીને પોતાના વ્યસ્ત જીવન માં પડી રહેવું, તેમજ જગિક બાબતો માં દેવની વાતો કરતા વઘારે રસ રાખવો એટલે હાલ ના જગત નો પ્રેમ.

લાગુકરણ :

જો આપણે જગત એટલે આપણી નોકરી,ધન દૌલત,જગિક મિત્રો,એવી કોઈ પણ બાબત જે આપણો દેવને આપવા માટેનો સમય કે તક ચોરી લે તેને આપણે જગત ની વસ્તીઓ કહી શકીયે..

ખાસ ઈશ્વરે આપણા ઇગ્નાઇટ ગ્રુપ માટે જે તેડું આપ્યું છે તે પૂરું કરવા માટે આપણે આપની જાત ને જગત તેમજ તેની વસ્તુઓ થી દૂર રાખવી પડશે.તો જ દેવના સેવક દ્વારા અભિષેકમાં બોલાયેલા શબ્દો "दुनिया की आराधना करनेवाले नहीँ,पैसे के पीछे भागनेवाले नहीं" આપણા જીવનમાં સાર્થક થશે. દેવ આપણ દરેક ને જગતથી અલગ થવાને માટે કૃપા આપે.આમીન.

જગત પર અથવા જગતમાંનાં વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી.
યોહાનનો પહેલો પત્ર 2:15

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...