Wednesday, 29 December 2021
ઋણ નું ખાતું ઝીરો કરીએ
*જેવા સાથે તેવા*
Friday, 1 October 2021
"રોજ ને માટે રોજની કૃપા*
Tuesday, 28 September 2021
"આશીર્વાદો નો નશો*
Monday, 27 September 2021
આશીર્વાદો ને પચાવી જાણો
Saturday, 11 September 2021
*Why God have taken His Servent During the Time Of Corona* ?
Friday, 10 September 2021
*આધ્યાત્મિક નુકશાન*
Thursday, 9 September 2021
*આધુનિક મૂર્તિપૂજા*
*આધુનિક મૂર્તિપૂજા*
ખ્રિસ્તી લોકો દેવની આજ્ઞા ને અનુસાર કોઈ મૂર્તિ ને નમતા નથી અને તેની ભક્તિ કરતા નથી,
તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર. તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું,
નિર્ગમન 20:4-5
જૂના કરાર માં ઘણા બધા રાજાઓ તેમજ યહૂદી પ્રજા એ મૂર્તિપૂજા કરવા લાગ્યા હતા ,વિદેશી લોકોના દેવી દેવતા ઓ ને પોતાના કરી લીધા હતા અને આ પાપ ને લીધે યહોવા પરમેશ્વર વારંવાર તેઓને શિક્ષા કરતા હતા અને તેઓ સંકટ માં આવી પડતાં હતાં.
મુસા જ્યારે પર્વત પર દેવને મળવા માટે ગયો તે સમયે હારુન તથા ઇઝરાયેલી પ્રજા એ સોનાનું વાછરડું બનાવીને તેની સ્તુતિ કરવાનું શરૂ કરીને જીવતાં દેવને રોષ ચઢાવ્યો હતો.
*યહોવા પરમેશ્વર એ આસ્થાવાન દેવ છે.જે પોતાની સ્તુતિ તેમજ મહિમા કોઈ બીજી વ્યક્તિ,મૂર્તિ કે માણસ ને આપવા દેતા નથી.*
*મૂર્તિ નો સીધો અને સરળ અર્થ એ છે કે, જે સ્થાન દેવનું છે તે સ્થાન બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ ને આપવું.*
*સૌથી પ્રથમ સ્થાન જીવતાં ઈશ્વર નું જ છે.*
અને જો તમે અને હું એ સ્થાન બીજી કોઈ નિર્જીવ વસ્તુ કે સજીવ વ્યક્તિ ને પણ આપો તો એ નિર્જીવ વસ્તુ તમારી મૂર્તિ છે.અને એ સજીવ વ્યક્તિ તમારી મૂર્તિ છે.
તમારી મિલકત તમારી મૂર્તિ હોય શકે છે.
તમારા દીકરા દીકરી તમારી મૂર્તિ હોઈ શકે છે.
તમારા માતા પિતા તમારી મૂર્તિ હોય શકે છે.
તમારું ધન દ્રવ્ય તમારી મૂર્તિ હોય શકે છે.
તમારી સંસ્થા તમારી મૂર્તિ હોય શકે છે.
તમારી પત્ની કે પતિ તમારી મૂર્તિ હોય શકે છે
તમારી ખેતીવાડી તમારી મૂર્તિ હોય શકે છે.
તમારું કેરિયર અભ્યાસ તમારી મૂર્તિ હોય શકે છે.
તમારી નોકરી ધંધો તમારી મૂર્તિ હોય શકે છે .
તમારો મોબાઈલ સ્માર્ટ ફોન તમારી મૂર્તિ હોય શકે છે.
તમારું સોશ્યલ મીડિયા તમારી મૂર્તિ હોય શકે છે.
તમારા મિત્રો સબંધીઓ તમારી મૂર્તિ હોય શકે છે.
આજે આપનાં જીવન માં વિચાર કરવાની જરૂર છે *શું આ પ્રકારનાં મૂર્તિપૂજક આપણે તો નથી ને* ?શું આજે પણ આપણે દેવનાં પ્રથમ સ્થાન ને મહત્વ ન આપીને બીજી કોઈ વ્યક્તિ,વસ્તુ ને પ્રથમ સ્થાન તો નથી આપવા માંડ્યા ને ?
સરળ ભાષા માં - *"ખ્રિસ્ત ઈસુ જીવતાં દેવ કરતા વિશેષ પ્રેમ બીજી કોઈ વસ્તુ - વ્યક્તિ ને કરવો એટલે જ મૂર્તિ પૂંજા"*
ઈસુએ ઉત્તર આપ્યો, “પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ સાંભળ; પ્રભુ આપણો ઈશ્વર તે પ્રભુ એક જ છે; અને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. અને બીજી એ છે કે જેમ તું પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પ્રેમ કર તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.”
માર્ક 12:29-31
વિચાર કરીએ ✝️વધસ્તંભ નું ઊભું લાકડું પ્રથમ દેવ પ્રત્યેના પ્રેમ ને દર્શાવે છે.જે સૌથી મોટી આજ્ઞા છે.અને બીજી આજ્ઞા માણસો પ્રત્યે પ્રેમ કરવા માટેની આજ્ઞા છે.જે ✝️વધસ્તંભ નું આડું લાકડું છે.ફકત એક લાકડા થી વધસ્તંભ બની શકતો નથી તેથી પ્રથમ આજ્ઞા દેવ પ્રત્યે પ્રેમ કરીએ અને એકબીજા પ્રત્યે પ્રેમ કરીએ .દેવનું સ્થાન બીજી કોઈ વ્યક્તિ ને કે વસ્તુ ને આપણે આપતાં હોય તો આ મૂર્તિ પૂજા ને આજે જ ત્યજી દઈએ..આજે જ મનોમંથન કરવાનો દિવસ છે.
Wednesday, 8 September 2021
*દેવ સાથેનો વાયા સંબંધ અને ડાયરેક્ટ સબંધ *
Tuesday, 7 September 2021
દેવને તમારું *થોડું* આપો
Tuesday, 17 August 2021
સત્ય તમને મુક્ત કરશે
Friday, 13 August 2021
પરેમશ્વર ની હજુરનું આચ્છાદન
Wednesday, 11 August 2021
ખ્રિસ્ત તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો
Tuesday, 3 August 2021
બે આત્મિક પ્રભાવશાળી શસ્ત્રો - દેવની ઉત્તમ સ્તુતિ - બેધારી તલવાર
Monday, 2 August 2021
આત્માને તાજો કરનાર ત્રણ વાના
Thursday, 29 July 2021
દુશ્મન ને પ્રેમ કરો
Wednesday, 28 July 2021
ખોટી શિખામણ - દુષ્ટ સલાહ* - ⚰️મૃત્યુ તરફ લઈ જાય છે.
Tuesday, 27 July 2021
તમારા વૈરી ને ઓળખો
ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’” દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.
રોમ. 12:19, 21
ગઈ કાલના મનન માં આપણે જોયું કે ,ઘણા બધા આપણાં નિકટના વ્યક્તિઓ દ્વારા શૈતાન આપણાં ઉપર દુઃખ,પીડા અને આપત્તિ લાવે છે અને આપણાં મિત્રો, કુટુંબનાં સભ્યો કે સગા વહાલાઓ જ આપણી વિરૃદ્ધ થઈ જાય છે,
શૈતાન હમેશાં નફરત અને શ્રાપ ને ફેલાવે છે અને કુટુંબો,મિત્રો,ભાઈઓ,બહેનો,સગા વહાલા ની વચ્ચે નફરત નું બીજ રોપે છે.✝️પરંતુ *ખ્રિસ્ત ઈસુ* હમેશાં *પ્રેમ* ને પ્રગટ કરે છે અને *આશીર્વાદ* ને આપણાં વ્યક્તિગત જીવનમાં તેમજ કુટુંબમાં અને મિત્રોમાં પણ *દૈવી પ્રેમ ને પ્રવાહિત* કરે છે.
📌 *આપણો વૈરી કોઈ મનુષ્ય નથી :*
પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.
રોમ. 12:20
કેમ કે આપણું આ 🏹 *યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી*,
એફેસીઓને પત્ર 6:12
*રક્ત અને માંસ થી બનેલો માણસ*🧍♂️ એ આપણો શત્રુ નથી.માટે જે આપણી વિરૃદ્ધ થાય છે તેઓ ને માટે આપણે સારું જ કરવાનું છે.સારા થી ભુંડા નો પરાજય કરવાનો છે.
📌 *વૈર વાળવું એ દેવનું કાર્ય છે :*
દેવનાં કોપ ને સારું માર્ગ મૂકવાનો છે અને મનુષ્ય માત્ર ને માફ કરી ને તેમને દેવનાં હાથમાં સોંપી દેવાના છે. આપણે કદી પણ મનુષ્ય ની સામે વૈર ન વાડીએ *(એ દેવની આજ્ઞા છે કે સામુ વૈર ન વાળો)*,જો આપને આજ્ઞા ભંગ કરીશું તો દેવનો પવિત્ર આત્મા આપણી પાસેથી જતા રહેશે.
📌 *આપણો વૈરી કોણ છે ?*
સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે *તમારો વૈરી શેતાન* ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
1 પિત. 5:8
કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ
*અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે* છે.
એફેસીઓને પત્ર 6:12
આકાશી સ્થાનો માં એટલે મધ્ય આકાશ માં જયાં દુષ્ટતા નાં આત્મિક લશ્કરો છે તેઓની સામે આપનું યુદ્ધ છે તેઓ આપના વૈરીઓ છે.
🧎🏻♂️પ્રાર્થના :*હૈ પરમેશ્વર પિતા, અમને અમારા વૈરી ને ઓળખવા કૃપા આપો.મનુષ્ય ની પ્રત્યે અમે વૈર ન રાખીએ પરંતુ તમારો દૈવી નિસ્વાર્થ પ્રેમ વહેતો કરી શકીએ અને અમારો અદ્ર્શ્ય શત્રુ વૈરી શૈતાન અને તેના કર્યો ને અમે ઓળખી ને તેને નાકામ કરી શકીએ માટે તમારા પવિત્ર આત્મા નું સામર્થ્ય અને પ્રાર્થના કરવાનો આત્મા આપો.આત્મિક યુદ્ધમાં સજ્જ કરો.પ્રભુ ઈસુના નામ માં આમીન*
Monday, 26 July 2021
યહોવાના યાજકો
📜 *દૈનિક રેહ્ના - યાજક - યહોવાનો દૂત*✝️
📖 *શીર્ષક : મુખ ની શરમ - આંખ ની શરમ દૂર કરો*
*કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] *યહોવાનો દૂત* છે. પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણાઓને નિયમ [સમજવા] માં ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારનો ભંગ કર્યો છે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. “તમે મારા માર્ગમાં ચાલ્યા નથી, પણ નિયમ [સમજાવવા] માં *મુખની શરમ* રાખી છે, માટે મેં તમને સર્વ લોકની નજરમાં તિરસ્કાર પાત્ર તથા અધમ કરી નાખ્યા છે.”
માલાખી 2:7-9
યાજક ને આપને ઉપદેશકો અને પાળકો કહી શકીએ, અહીં તેઓને યહોવાના દૂત તરીકે કહેવામાં આવ્યા છે.જેઓ દેવનો નિયમ લોકો ને સમજાવે છે.
ઉપદેશકો જેઓ દેવનું વચન સમજાવે છે ,*આંખ ની શરમ* કે *મુખની શરમ* રાખવી ન જોઈએ.
📌 *પાપ કરનાર ને સર્વેની સમક્ષ ઠપકો :-*
1લો તિમોથી 5:૨૦ પાપ કરનારાઓ ને સર્વેની સમક્ષ ઠપકો આપ,જેથી બીજાઓ ને પણ ડર રહે.
પાપ કરનાર વ્યક્તિ ને મંડળી ની સમક્ષ ઠપકો આપવો જરૂરી છે,ઘણી બધી વખત આંખ ની શરમ અને મુખ ની શરમ ને લીધે ઉપદેશકો મંડળી નાં લોકોને પાપ કર્યાં છતાં ઠપકો આપતાં નથી અને મંડળી ની અંદર પાપ કરનાર ને સાંખી લેતા હોય છે પરંતુ એ દેવની નજર માં યોગ્ય નથી.દેવ કોઈ ની શરમ રાખતા નથી તેથી દેવની મંડળી માં પાપ ચલાવી લેવું ન જોઈએ.
📌 *ખાલી શબ્દવાદ થી દુર રહેવું :-*
તું આ વાતોનું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની સમક્ષ [તેઓને] એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.
તિમોથીને બીજો પત્ર 2:14
ઘણી બધી વખત વચન ની સમજણ ની બહાર ફકત શબ્દ વાદ એટલે કે શબ્દો ની ગોઠવણ કરી ને સંદેશાઓ આપવામાં આવે છે પણ તેમાં હર્દય નું ઊંડાણ હોતું નથી.વચન નું મૂળ હોતું નથી.જે શબ્દો પવિત્ર આત્મા દ્વારા આવતા નથી તે ખાલી શબ્દ વાદ છે.દરેક ઉપદેશકો એ શબ્દ વાદથી દૂર રહેવું જે દેવની પ્રેરણા વગરના શબ્દો છે એ દરેક શબ્દો મનુષ્ય નાં છે.
📌 *સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર:-*
સત્ય હંમેશા કડવું હોય છે,સતત સત્ય જે વચન કહે છે દેવનો આત્મા કહે છે તે જ સત્ય પ્રગટ થવું જોઈએ,નહિ કે જગતની વાતો અને તેના ધારા ધોરણો, જગત કોઈ પણ રીતે ખ્રિસ્ત ઈસુ માં જીવન જીવવા માટે નમૂનો આપી શકતું નથી.ખરો નમૂનો ખ્રિસ્ત ઈસુ છે અને એ જ વચન છે.જે વચન માં ખ્રિસ્ત નો મહિમા થતો નથી તે દેવ તરફથી નથી.
દરેક વચનો ને સ્પષટતાપૂર્વક સમજાવવા એ એક ઉપદેશક ની ખૂબ મોટી જવાબદારી છે.
જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં *વચન સ્પષ્ટતાથી સમજાવનાર*, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.
2 તિમ. 2:15
દૈનિક જીવનમાં ઉન્નતિ કરનાર વચનો ને મિત્રો સાથે શેર કરી ને આશીર્વાદ મેળવો ,બીજાઓ ને પણ મોકલો
Sunday, 25 July 2021
મારા કલ્યાણ નું ચિન્હ
Saturday, 24 July 2021
દાઉદ ની જીવન શૈલી
📜 *દૈનિક રેહમાં વચન* ✝️
*દાઉદ ની જીવન શૈલી*
📌 *૧. દાઉદ રાજા પ્રભાત થાય તે પહેલાં પ્રભુ ની હાજરી માં સમય વિતાવે છે* પ્રભાત થયા પહેલાં મેં અરજ કરી; મેં તમારી વાતની આશા રાખી.
ગીતશાસ્ત્ર 119:147 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.147.GUJOVBSI
📌 *૨. રાતના છેલ્લા પહોરે વચન નું મનન :* તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
ગીતશાસ્ત્ર 119:148 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.148.GUJOVBSI
📌 *૩.દિવસ માં સાત વાર સ્તુતિ :*
તમારાં યથાર્થ ન્યાયવચનોને લીધે હું રોજ સાત વાર તમારી સ્તુતિ કરું છું.*
ગીતશાસ્ત્ર 119:164 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.164.GUJOVBSI
📌 *૪. આખો દિવસ નિયમશાસ્ત્ર નું મનન:* હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.
ગીતશાસ્ત્ર 119:97 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.97.GUJOVBSI
📌 *૫. રાત્રે પ્રભુનાં નામ નું સ્મરણ :-*
હે યહોવા, મેં રાત્રે તમારા નામનું સ્મરણ કર્યું છે, અને તમારો નિયમ પાળ્યો છે.
ગીતશાસ્ત્ર 119:55 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.55.GUJOVBSI
*દૈનિક રેહમા વચન* શેર કરો અને બીજાને પણ મોકલો અને આશીર્વાદ મેળવો
Sunday, 6 June 2021
Friday, 21 May 2021
Tuesday, 4 May 2021
अनुत्तरित प्रार्थनाएं
*अनुत्तरित प्रार्थनाएं* यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...
-
क्या तुम होना चाहते हो हिम से सफेद लहू में शक्ति हैं (2) क्या तुम चाहते छुटकारा और क्षमा यीशु के लहू में शक्ति है। शक्ति है, है, अद्भुत शक्त...
-
*अनुत्तरित प्रार्थनाएं* यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...
-
तुरही गूंजने का समय आ गया, प्रार्थना में जागृत रहो ऐ कलीसिया सीधे हो कर आपने सर उठाओ छुटकारे का दिन करीब आ गया* प्रेमी येशु जल्दी महिमा में...